Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 197
________________ [ ૧૮૪] ધર્મજીજ્ઞાસુ અકબર. અબુલફઝલ વગેરે મુસદ્દી વર્ગ અકબર પાસેથી બહાર નીકળે એટલે તુર્ત તે અકબરના એકાંતભૂવનમાં દાખલ થઈ અને નમ્ર ભાવે બેલી–“નાથ, આવી રીતે આપ ઉદાસ બેસી રહ્યા છો તે જોઈ મેં આપની પાસે વગર પરવાનગીએ આવવાને અવિવેક કર્યો છે તે માટે ક્ષમા માગુ છું. ગઈ રાત્રીના બનાવમાં કઈ ઉદાસ બની બેસવા જેવું નથી. ઉલટે ખુદાની મહેર માટે આજે આનંદમહોત્સવમાં દિવસ પસાર કરે જોઈએ. તેને બદલે આપ ઉદાસ બેસી રહીને શું ચિંતા કરી રહ્યા છે, તે જાણવાને હું આતુર છું.” હાલી તારાં અહેસાન અને અંત:કરણની લાગણી જોતાં રાજમહાલયના કેઈ ભાગમાં મારી મુલાકાત કરવાને તારે જાને વિવેક દર્શાવવાની જરૂર નથી. ગઈ રાત્રીએ તેં બતાવેલી શક્તિ અને હિમ્મત ક્ષત્રી તેજનું બરાબર ભાન કરાવી શક્યાં છે. તારા એ ઉપકારના સ્મરણમાં આજનો દિવસ મહત્સવ તરીકે ઉજવાય તે માટે હું જરૂર હમણાજ હુકમ કાઢીશ. બીજા અગત્યના કાર્યમાં હું અત્યારસુધી તારી ખબર કાઢી શક્ય નથી, તે માટે દિલગીર છું. કહે પદમા, તારી તબીયત તે હવે સ્વસ્થ છે ને?” અકબરે કેટલાક ખુલાસે કરતાં લાગણીભર્યો પ્રશ્ન કર્યો. પ્રભુ, મને તો લેશ માત્ર ઈજા થઈ હતી એટલે મારા આરામ માટે આપને ચિંતા કરવા જેવું રહેતું નથી. પરંતુ આપ ઉદાસ દેખાઓ છે તેની મને ચિંતા થાય છે તે મારી એ ચિંતા દૂર કરવાને આપની ઉદાસિનતાનું કારણ જણાવશે તે કૃપા થશે.” પદ્માએ પુન: એજ પ્રશ્ન કર્યો. પદ્મા, તારા જેવી સગુણ બેગમના સહવાસમાં મને ચિંતાનું કશું કારણ હોયજ નહિ. હું તે ફકત રજીસૂરિ ગુજરાતમાં પાછા ચાલ્યા જવાના છે તેવા ખબર મળવાથી તેમના વિયાગની કપના થતાં ઉદાસ થઈ રહ્યો છું. માટે તમે ==ાં ચિંતા ન કરતાં સુખેથી આરામ લ્યો.” અકબરે મૂરો કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214