Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 736
________________ પૂજ્ય ગુરૂદેવ Dિay પ. નામ રજી મહારાજ જન્માતાહિદ સ્મૃતિપ્રય પરંતુ હાલ મુંબઈમાં બિરાજમાન અમારા ખરા અંતરત્નેહી પૂ. દમયંતીબાઈ મહાસતીજીને અતિ લાગણીભર્યો પ્રેમપત્ર અને એમાંય પૂજ્યશ્રીના જીવન પર સંસ્મરણુ લખવાનું ફરમાન આવ્યું. તેથી લખવાની ભાવના થઈ. લખવાને વિચાર આવતાં જ દૂરના ભૂતકાળમાં દષ્ટિ દોડી ગઈ બહ બાળપણમાં સંસારી અવસ્થામાં એક વખત પૂજ્યશ્રીને ધારી બિરાજવું થયું અને એમની ખ્યાતનામ કીતિ અમારી જન્મભૂમિ ઠેઠ દલખાણિયા સુધી પહોંચી. પૂજ્યશ્રીની નામના સાંભળીને કુટુંબ સાથે દર્શને જવાનું થયું અને તે વખતે પૂજ્યશ્રીની કવિત્વશકિત અને વકતૃત્વશકિતનું દર્શન પહેલું કહો કે છેલ્લું, પણ તે સૌભાગ્ય જીવનમાં એક જ વખત પ્રાપ્ત થયું છે. મહાન ગુણ સંતેની કવિતા કે વકતાપણાની પ્રસંશા કરવાનું કામ મારું નથી. એ કીર્તિની ચાંદની તે એની મેળે જ ખીલતી રહે છે. ત્યારે પૂજ્યશ્રીના પ્રથમ દર્શને મારા બાલજીવનના ટૂંક પરિચયમાં મેં શું જોયું ! તે લોખંડી સંતના મુખપર તરવરતી નિખાલસતા અને નિડરતાના અપૂર્વ દર્શન થયાં. અને એ સદગુણની બેલડી પર જ હું બે શબ્દ લખું છું. આજના કહેવાતા શાસનપ્રેમી કે ધર્મપ્રેમી એવા કરોડપતિ શ્રીમતેની તબદિલી કરતાં અનેક સતીવૃંદ કે તેને જોયા છે. અરે! સુશ્રાવકજી! શાસ્ત્રજ્ઞ, આવા પ્રમાણપત્ર આપતા અનેકને સાંભળ્યાં છે. પરંતુ મોકા પર કડવું સત્ય કહેનાર અને નીડરપણે કડવું આચરણ કરી બતાવનાર એવા પરમ સંત પૂ. નાનચંદ્રજી મહારાજ એકના જ જીવન દરમ્યાન દર્શન થયાં છે. એકાંત જડ ક્રિયાને જળની જેમ વળગી પડેલા અનેક ધર્માધ ધનપતિઓને આ મહાન વ્યકિત પાસે કબૂલ કરવું પડ્યું છે કે આંતરજીવનની આધ્યાત્મિકતા વગર, મરમ સત્યની પાત્રતા વગર વીરના વારસદાર થવું કઠણ છે. અહે! તે પુરુષની જન્મશતાબ્દિ સમયે આપણે એટલું જ મરીએ કે આપણામાં ખરી નિખાલસતા અને નીડરતા કયારે આવે! સંયમ–માર્ગના પથપ્રદર્શક અને જ્ઞાનદીપક શ્નરે વિદુષી બા.. લલિતાબાઈ મહાસતીજી સંયમ જીવનના દીપને પ્રષ્ટાવવા હજુ તે હું વાટ સંકોરતી હતી, ત્યાં જ આવી મળેલ પ્રકાશપૂંજને કેમ વિસરી શકું? જેમણે મારા દીપકમાં સ્નેડ પૂરીને જ્ઞાનની ચિનગારી પ્રગટાવી. સંયમી જીવનની કેડીએ પ્રથમ ચરણ મૂક્તા એટલે કે વિરાવ્યાવસ્થામાં જ જે મારા માર્ગદર્શક બનીને ઊભા રહ્યા તે પૂજ્ય ગુરુદેવના ગુણગ્રામ કરવા મારી પાસે કયાંથી શકિત હોય ? મને યાદ છે એ દિવસે સં. ૨૦૦૨ માં ધોરાજીનું એમનું ચાતુર્માસ થયું. ચારેય મહિના “જૈન સિદ્ધાંત પ્રવેશિકા કે જે જિનેશ્વર પ્રભુની વાણીના સાગરમાં પ્રવેશવા નાવ સમાન છે, તેનું જ્ઞાન તેઓશ્રીએ મને અત્યંત પ્રેમથી અને ગહનતાથી કરાવ્યું જે આજ સુધી મારા અંતર મન પર એની ઊંડી છાપ સાથે એવું ને એવું વિદ્યમાન છે. તે આવા પરમોપકારી ગુરુદેવની વિશિષ્ટતાઓનું ખ્યાન કરવું અને હું સાહસ સમજુ છું છતાં સમય આવ્યે કહ્યા વગર રહી શકતી નથી કે એમનું જીવન એટલે સૂર્યની તેજસ્વિતા, ચંદ્રની શીતલતા, મેરૂની અડોલતા, કમળની નિર્લેપતા ધરતીની સહિષ્ણુતાને શુભ સમન્વય હતું. તેઓશ્રીને જીવન મંત્ર હતું, “જન સેવા તે પ્રભુની સેવા એમના જીવનની ક્ષણ ક્ષણ સેવાર્થે વપરાઈ હતી. આવા સર્વતોમુખી પ્રતિભાસંપન્ન મહાપુરુષના ચરણમાં અગણિત પ્રણિપાત છે. સંસ્મરણે Jain Education Interational [૫૧] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856