Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દૂર કરવું બહુ અઘરું છે. ગમે એટલી ઉંચાઈવાળો સાધક આત્મા હોય તો પણ એણે સાવધ રહેવું પડે છે. મર્યા પછી તો દુનિયા તમને બાળશે પણ ક્રોધ તો તમને જીવતા જલાવે છે. માટે ક્રોધ અને લોભ બંનેમાંથી મુક્ત થવા જેવું છે.” પુણ્યથી જ બધી સામગ્રી પ્રાપ્ત થશે. પુણ્ય પ્રાપ્ત કરવા માટે પરમાત્માની ભક્તિ કરો. પુણ્યનો ઉદયકાળ હોય ત્યારે ઉંધુ કરો તો પણ સીધું થઈ જાય, અવળા પાસા પણ સવળા થઈ જાય એવું બને. પણ પુણ્ય ખલાસ થતાં બહુ બૂરી દશા થશે, એ વખતે કોઈ નહીં બચાવી શકે. મરણને મહોત્સવ બનાવવા આજથી તૈયારી શરૂ કરો. ભગવાનને કહો કે તારી કૃપાથી સમાધિ મરણ પ્રાપ્ત થજો, મારૂ મૃત્યુ સદ્ગતિનું દ્વાર બને એવી ભાવનાથી મૃત્યુની તૈયારી કરો. જીવન તો બગડ્યું છે પણ મરણ ન બગડે એની ચિંતા કરો. મૃત્યુ મહોત્સવ બની જાય એ માટે પરમાત્માને મંગળ યાચના કરો.” “સત્યની ઉપાસના કરો, દયા, ઉદારતા વગેરે ગુણો વિકસાવો. ક્ષમા ક્ષમા દાખવો. ક્રોધ અને લોભનું વિસર્જન કરો. તે પછી જીવન હરતું ફરતું મંદિર બની જશે અને આત્મા નિર્મળ બનશે.' નેપાલ જેવા વિદેશમાં વિચરણ કરીને કાઠમાંડમાં જિનાલયની પ્રતિષ્ઠા. સીતાજીની જન્મભૂમિ અને મલ્લિનાથ-નમિનાથ બંને તીર્થકરોની કલ્યાણકભૂમિ જનકપુર (નેપાલ) માં વિશાલ જિનાલય અને તીર્થભૂમિના આયોજનનો સફળ ઉપદેશ. જOSTS ૧૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58