Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org થવા પ્રયત્ન કરો અને આત્માની ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરો. એનો આનંદ કંઈ ઓર જ છે, અવર્ણનીય છે. એનો પરિચય શબ્દોથી આપી શકાય એવો નથી. શબ્દ એ તો માધ્યમ છે. પણ આનંદ તો સ્વયં લેવો પડે. તમે મીઠાઈ ખાતા હો તો એનો સ્વાદ તમને જ ખબર પડે, અન્યને નહીં. આત્માનો અપૂર્વ આનંદ તો સ્વયં મેળવવા જેવી ચીજ છે. શબ્દ વર્ણનથી એની ખબર ના પડે. દુન્યવી જાણકારીના ભંડારથી કલ્યાણ નહીં થાય. જાણકારીની સાથે સાથે પૂર્ણ શ્રદ્ધા હોય એ સાધનાના ક્ષેત્રમાં બહુ જરૂરી છે. સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર હશે તો મોક્ષ માર્ગ પ્રાપ્ત થશે.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારી શ્રદ્ધા વેર વિખેર છે. કોઈ એક વાતમાં તમને વિશ્વાસ નથી. પચાસ હાથ અલગ અલગ જગ્યાએથી કૂવો ખોદવાથી પાણી નહીં મળે. એક જ જગ્યાએ ૫૦૦ ફૂટ ખોદવાથી પાણીનો સ્ત્રોત ચોક્કસ મળી આવશે. પરમાત્માએ એકાંતે કલ્યાણ માટે ઉપદેશ આપ્યો છે એવી શ્રદ્ધાથી સ્વયંને સાધો, સાધનામાં ડૂબી જાવ, તન્મય બની જાવ તો જ સત્ય પ્રાપ્ત થશે. સાધનાનો આનંદ શબ્દોમાં નહી વર્ણવી શકાય. સંસારને ભૂલીને જે વૈભવ પ્રાપ્ત થશે એ અલૌકિક પ્રકારનો હશે. ચિંતનમાં મગ્ન બની જાવ, તન્મયતા પ્રાપ્ત કરો અને સ્વયંને ભૂલીને સાધના કરશો, સંસાર શૂન્ય બની જશો ત્યારે ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. ‘સામાયિક તો રોજ કરતા હશો. પણ સાથે સાથે આત્મ ચિંતન કરો, વિતરાગના સ્વરૂપનું ચિંતન કરો, ધર્મની ઉંડાઈમાં જાવ. પ્રતિક્રમણમાં પણ ભાવ હોવો જોઈએ, ઔપચારિકતા નહીં. પ્રતિક્રમણ કરતી વખતે અઢારે પ્રકારના પાપોથી મુક્ત થવાની ભાવના રાખો. સંવર અને નિર્જરા પ્રાપ્ત થાય એવું પ્રતિક્રમણ કરો.’ ધર્મના રહસ્યોને સમજ્યા વગર કરેલી આરાધનાનો કોઈ અર્થ નથી. આપણી દશા બહુ ખરાબ છે. મુસલમાનો કે યહૂદીઓને જૂઓ તો એમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનો પરિચય મળે. આજે તો શ્રદ્ધાનો દાટ વળી ગયો છે. શ્રદ્ધાનો સર્વત્ર અભાવ જોવા મળે છે. આવું ચાલુ રહેશે તો કર્મક્ષય માટેની શક્તિ નહીં મળે. ૩૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58