Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતવાણી Acharya Shri Kailassagarsuri Gyanmandir બોરીજ, ગાંધીનગર. તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૭) ‘અનંત ઉપકારી, અનંત જ્ઞાની, પરમ કૃપાળુ જીનેશ્વર પરમાત્માએ પ્રાણી માત્રના કલ્યાણ માટે ધર્મ પ્રવચન દ્વારા ઉપકારની અપૂર્વ વર્ષા કરી છે. એમણે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી, લક્ષ સિદ્ધ કરી લીધું, છતાં પણ એમની ભાવકરૂણા, અંતરનું For Private And Personal Use Only વાત્સલ્ય પ્રવચન દ્વારા વહાવીને અને સ્વયંને જોવા માટે દૃષ્ટિ આપીને આપણા ઉપર સૌથી મહાન ઉપકાર કર્યો છે. આત્મા કેવી રીતે પૂર્ણતા પ્રાપ્ત કરે, એનું સમ્યક્ માર્ગદર્શન પરમાત્માએ પ્રવચન દ્વારા આપ્યું છે. એવા પરમાત્માનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. પરમાત્માની વાણીમાં સરસ્વતીનો વાસ છે, એ આત્માને પુષ્ટ કરવાવાળી છે, અનાદિકાળની મોહ નિદ્રામાંથી જગાડવાવાળી છે, એકવાર એનું ભાવપૂર્વક શ્રવણ ક૨વામાં આવે તો આત્મા મોહનિદ્રામાંથી જાગી જાય અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરે એટલી એમાં તાકાત છે.’ ‘દર વર્ષે તમે પર્યુષણ મનાવો છો. આ પર્વાધિરાજનો પ્રસંગ દરેક દૃષ્ટિએ ઉપયોગી છે. એ બધી મનોકામના પૂર્ણ કરે એવો કલ્યાણમિત્ર છે. જગતને મુક્ત કરે છે, એ આશીર્વાદ છે, અને વરદાન પણ છે. એનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષના પરિણામ કોમળ બનાવે છે અને એને ક્ષય કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પરમાત્માની આજ્ઞાનું પાલન આરાધના દ્વારા આ દિવસોમાં કરવામાં આવે છે. એનાથી માનસિક આરોગ્ય મળે છે, આત્માનું આરોગ્ય પ્રાપ્ત થાય છે અને શારીરિક આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે, તણાવમાંથી મુક્ત થવાય છે, ક્ષમા અને મૈત્રીની ભાવના ઉત્પન્ન થાય છે.’‘રાગ દ્વેષ હશે, ત્યાં રોગ અને બિમારીઓ હાજર હશે, એમ ચરક સંહિતામાં કહેવામાં આવેલ છે. રાગ દ્વેષના પરિણામથી બધી બિમારી ४०

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58