Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એનું નહીં પણ શું કરો છો, એનું બહુ મહત્ત્વ છે. મોક્ષ તત્ત્વમાં વિશ્વાસ રાખો, શ્રદ્ધા ધારણ કરો. તમારૂ આચરણ એવું હોવું જોઈએ કે દરેક ગુણ પ્રત્યે અનુરાગ પેદા થાય. ગુણો પ્રાપ્ત કરીને આગળ વધવાની યોગ્યતા પ્રાપ્ત કરો અને ભવાંતરમાં જૈન શાસન પ્રાપ્ત કરીને મોક્ષની સાધનાનો આરંભ કરો.” દુનિયામાં, સંસારમાં તમે ડગલે ને પગલે ઠોકરો ખાવ છો, એ વખતે સાવધાન થઈ જવા જેવું છે. તમારા દોષોનો સ્વીકાર કરો અને એને દૂર કરવા સંકલ્પ કરો. તમારામાં રહેલ મહાચંડાળ એવા ક્રોધને દૂર કરો, સમતા ધારણ કરો. તમારો અપરાધ તમારા આત્માને ખાઈ જાય તે પહેલા એનો સ્વીકાર કરીને પ્રાયશ્ચિત લઈ લો. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય બોલવાવાળા એવા તમે પંચેન્દ્રીય સાથે શત્રુતા ન રાખો. ભાવપૂર્વક કરેલ એક પ્રતિક્રમણ પણ પાપોનો નાશ કરવા માટે સમર્થ છે. પાપનો સાચા હૃદયથી પશ્ચાતાપ કરો. એક ઇરિયાવહીથી અઇમુત્તા મુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું.' વ્યાખ્યાન અને દૃષ્ટાંતો સાંભળીને તેમાં છૂપાયેલ તત્ત્વનો બોધ ગ્રહણ કરો. પરમાત્માની અમૃત જેવી વાણી સાંભળવા માટે અને સમજવા માટે પણ યોગ્યતા જોઈએ. પરમાત્માએ ઘોર ઉપસર્ગો સહન કર્યા છે, એવી તાકાત મને પણ મળે એવી ભાવના રાખો. સોમીલ સસરાએ દ્વેષ ભાવનાથી જમાઈ ગજસુકુમારના માથે પાઘડી બાંધીને, એમાં સળગતા કોલસા નાંખ્યા હતા તો પણ ગજસુકુમારે બીલકુલ પ્રતિકાર કર્યા વગર સમતાથી એ ધારણ કર્યા હતા અને કર્મક્ષય કર્યો હતો. આજે મોટેભાગે શ્રાવકો કે સાધુઓમાં પણ ધર્મની સ્કૂલના થતી જોવા મળે છે. સામાન્ય વાતને મોટુ રૂપ આપીને ક્રોધ કરશો, તો કદી તમારા આત્માનું કલ્યાણ નહી થાય. ‘કષાયો કરવામાં નફો નથી, માત્ર નુકશાન જ છે.” તમે તમારી દૃષ્ટિથી ધર્મનું અર્થઘટન ન કરો. પ્રતિકારમાં સંઘર્ષ છે, સ્વીકારમાં સાધનાની પુષ્ટિ છે. સ્વીકાર તો સાધનાનું અંગ છે. અપકારી આત્મા ઉપર પણ ઉપકારની વર્ષા વરસાવો. એક માનવને સાચો માનવ બનાવવા માટેનો ભાવ આવવો જોઈએ. અગરબત્તીનો સ્વભાવ ४४ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58