Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ધર્મ માટે મરી ફીટવું એ તો ગૌરવ અને સૌભાગ્યની નિશાની છે. ભૂતકાળમાં અનેક વ્યક્તિઓએ ધર્મ માટે પ્રસન્નતાપૂર્વક પ્રાણ આપ્યા હોય, એવા અનેક દાખલાઓ છે.” “આરાધનામાં અહંની ભૂમિકા ન ચાલે. નમ્રતા ગ્રહણ કરો. અહં હશે ત્યાં સુધી અરિહંતના દર્શન નહીં થાય. અહં એ છૂપો રોગ છે. એ તમારા આચરણમાં પણ છૂપી રીતે પડ્યો હોય એમ દેખાઈ આવતો હોય છે. બધા રોગનું કારણ અહંકાર છે. સત્યને છુપાવવા કોશિષ ન કરો. તમારા અહંને જાત ભાતના નુસ્મા અજમાવીને પ્રગટ ન કરો. અહંકાર આત્માના દુષણને વધારે છે.” “આત્મા તો અનંત પ્રકાશમય અને જ્યોતિર્મય છે. પણ કષાયને કારણે મનની ચીમની કાળી પડી છે. એને પહેલા સાફ કરો તો તમારી સાધના દિપી ઉઠશે. તમે જ તમારા શિક્ષક બનો. પ્રવચનમાં જે સાંભળો છો, એ મનને પણ વંચાવો.” અહંકારની ભૂમિકામાંથી બહાર આવો. અહંકારના પરિણામ બહુ ખરાબ હોય છે. રાવણ, હિટલર વગેરે અહંકારને કારણે દુર્ગતિ પામ્યા હતા. અહંકાર રહી જશે તો અંત સમયે કોઈ આંસુ લૂછવાવામાં પણ નહીં મળે. અહ, નાઈ, કોહ અને સોહે એ ચાર શબ્દોમાં ઘણું રહસ્ય છે. હું કંઈ જ નથી, સ્વતઃ પરથી મને કોઈ સંબંધ નથી. પરમાં સ્વની કલ્પના એ મિથ્યાત્વ છે.' આત્મા તો અનામી છે, એને એને તમે ઉછીનું નામ આપ્યું છે. “વાણીમાં સંયમ અને વિવેક રાખો. ‘તમે જાણો છો ઘણું બધું, પણ આચરણમાં કંઈ નથી. આગ લાગે ત્યારે ગમે એટલા લોકો ટોળે વળે અને એના ઘરની કિંમતી સામગ્રી બચાવે. પણ માલિકને બચાવવાની કોઈ દરકાર ન કરે. એ રીતે તમે સંસારની આગમાં ક્ષુલ્લક એવો સામાન બચાવો છો, પણ માલિક એવો આત્મા કષાયોની આગમાં સળગી રહ્યો છે, એની ખબર નથી પડતી.” “કર્મ રાજાની નોટીસ આવશે ત્યારે, એક શબ્દમાં વૈરાગ્ય પ્રાપ્ત થઈ જશે. ભોજન કરતી વખતે ગળામાં તકલીફ થાય અને ડોક્ટર પાસે જાવ તે વખતે ડોક્ટર કહે કે, જરા ગળાની બાયોપ્સી કરાવી આવો. મુંબઈ જઈને ટાટા હોસ્પીટલમાં દેખાડી આવો. ત્યાંથી જ ભય ચાલુ થઈ જાય, ધોળે દિવસે તારા દેખાતા થઈ જાય. તે પછી તમે નિદાન કરાવો અને અભિપ્રાય આવે કે ખરેખર તમે કેન્સરથી ૩૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58