Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારી જાતને જે નામ આપ્યું છે એ પણ તમારું નથી, શાશ્વત નથી, ઉધાર છે. બહારની વસ્તુને આત્મા સાથે કોઈ સંબંધ નથી. આત્માને જાણવાની આજથી શરૂઆત કરો. તમે તમારો પરિચય કેવી રીતે આપશો? તમારો પરિચય અસત્ય હશે. નામ તો તમે લઈને આવ્યા નથી, એ તો માતાપિતાએ આપેલું છે. તમે કર્મ સંજોગથી આ દુનિયામાં આવ્યા છો. “જે ઘરમાં તમે રહો છો એ પણ તમારૂ નથી. દરવાજામાંથી જે દિવસે અહીં રંગે ચંગે પ્રવેશ ર્યો હતો એ જ દરવાજેથી એક દિવસ સ્મશાનયાત્રા નીકળવાની છે. ઘણી મહેનત અને રઝળપાટ પછી મળેલી સંપત્તિ પણ તમારી નહી થાય. કોઈ દવાખાનામાં જીવન વેચાતું મળતું નથી. સમ્રાટ સિકંદરે પણ આખરે કહેવું પડ્યું હતું કે અઢળક સંપત્તિ, વિશાળ લશ્કર, અને ઉત્તમ રાજવૈદ્યો હોવા છતાં બે હાથ ખાલી લઈને જાઉં છું.” તમે ઇન્દ્રીયોના ગુલામ છો અને આખા સંસારને જીતવાની વાત કરો છો. ઘણું બધું મેળવી લેવાની વૃત્તિ તમને દુઃખી કરે છે. તમને તમારો સ્વયંનો પરિચય નથી. પુણ્ય સાથ આપશે અને પ્રારબ્ધ હશે તો પ્રાપ્તિ સહજમાં થશે. પણ સ્વયંને ભૂલીને કશું મેળવવા તરફ અંધારામાં દોડા દોડ ના કરો. જે દિવસે ઉપરથી વોરન્ટ આવશે એ વખતે કોઈ વકીલ કે અદાલત કે ડોક્ટર તમને બચાવી નહીં શકે. બહુ સમજી વિચારીને સાધુએ સંસાર છોડ્યો હોય છે. તમે જેને માટે બધું છોડો છો તે જ સ્વજનો તમને સ્મશાન સુધી છોડવા માટે આવશે, કોઈ દુશ્મન નહીં આવે. તમે મોતને ભૂલવા માટે ગામની બહાર સ્મશાન રાખો છો. પણ ખરૂ પૂછો તો સ્મશાન તો ગામની વચ્ચે રાખવું જોઈએ. જેથી લોકોના પાપ કમજોર થઈ જાય. બધાને ખબર પડે કે એક દિવસ અહીં આવવાનું છે.' અનાદિકાળની યાત્રાનો આજદિન સુધી પૂર્ણ વિરામ આવ્યો નથી. મૃત્યુ એક અદશ્ય તત્વ છે, અનુભવી શકાય છે, પણ એના કારણો ખબર નહી પડે, એ દેખાશે નહીં. એક પરમાણુનો વિસ્ફોટ આખા જગતનો નાશ કરી શકે એટલી એમાં તાકાત છે, એક પાણીના ટીપામાં ૩૦,૦૦૦ થી અધિક ૨૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58