________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૩ ] પણ અવિધિથી ક્રિયા અનુષ્ઠાન કરનારને સંઘ નથી જ કહ્યો. આવી રીતે અવિધિથી સૂત્ર અને તેથી કહેવાયેલી શુદ્ધ ક્રિયાને વિનાશ થતો હોવાથી સત્ય રીતે તીર્થને પણ વિનાશ થાય છે જ; તેથી તીર્થ-ઉચ્છેદના ભયથી અવિધિએ ચાલતું અશુદ્ધ કિયાનું અનુષ્ઠાન ચાલવા દેવું અથવા તેની સ્થાપના કરવી તે ચગ્ય નથી, આથી તે જે વ્યાપારથી લાભની ઈચ્છા રાખતો હતે તેને બદલે મૂળ ધન પણ નાશ પામે છે, એ જ તાત્પર્ય સમજવું ૧૪. સૂત્ર ક્રિયાને વિનાશ તે જ આપણને અહિત કરનાર છે. તે વાતને બરાબર સમજાવે છે. मूलम्सो एस वंक ओ चिय, न य सयमय मारियाणमविसेसो।
एयं पि भावियव्यं, इह तित्थुच्छेयभीरूहि ॥१५॥ छाया-स एष वक्र एव, न च स्वयं मृतमारितयोरविशेषः।
एतदपि भावितव्य-मिह तीर्थोच्छेदभीरूभिः॥१५॥
અર્થ ખરેખર તે એ અહીંયાં દેષ છે કે- સૂક્ત ક્રિયાને વિનાશ થાય છે, માટે તીર્થ–ઉછેદને ભય ધરનારાઓએ એ પણ વિચારવું જોઈએ કે પોતાનું આયુષ્ય પૂર્ણ થવાથી જે માણસ સ્વાભાવિક મરે છે અને બીજાના હાથે જે મરાય તે બંનેમાં અવિશેષતા–સામાન્યપણું નથી, કિંતુ વિશેષતા છે. મે ૧પ છે
ભાવાર્થ-અહિંયા પૂર્વધએ આત્માના હિતમાટે ધર્મક્રિયા ઉપદેશેલી છે તેને વિનાશ થાય તેમજ પરંપરા તીથને ઉચ્છેદ થાય, તેથી અધર્મના પરિણામને
For Private And Personal Use Only