________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ છે. શું કહ્યું? સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં કુળની સંખ્યા જ આવી છે એમ નથી. પરંતુ જે કુળની સંખ્યાઓ છે તે જીવમાં નથી એમ આવ્યું છે, ત્યારે વાકય પુરું થાય છે. અમે સર્વજ્ઞને એમ માનીએ છીએ કે-આ કુળના ભેદોને જાણ્યા માટે તમે સર્વજ્ઞ છો એમ અમે સર્વજ્ઞને જાણતા નથી. પરંતુ કુળના ભેદોને જાણીને સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે-આ કુળના ભેદો તારામાં નથી. એ પ્રયોજન છે.
પૃથ્વીકાયિક જીવોના બાવીશલાખ કરોડ કુળ છે. અષ્કાયિક, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય છે તે બધુંય પ્રતિક્રમણમાં આવે છે ને! આ બધું ખામણામાં આવે છે ને! આ પૃથ્વીકાયિક જીવ છે તેના બાવીશ લાખ કરોડ કુળ છે-તે જીવમાં નથી. પૃથ્વીકાયિક જીવ જેને કહેવામાં આવે છે એ પૃથ્વીકાયિકનો જે જીવ છે, તે જીવને પૃથ્વીકાયિક સંયોગરૂપે પ્રાપ્ત થઈ છે એવા તે જીવોને પણ તે પૃથ્વીકાયનો તેનામાં અભાવ છે.
મારામાં તો એ પૃથ્વીકાય જીવનો અભાવ છે, કારણ કે હું પૃથ્વીકાયિક નથી. પરંતુ પૃથ્વીકાયના જે જીવો છે અને તેના જે બાવીશલાખ કરોડ કુળ છે, તેનામાં શુદ્ધ નિશ્ચયનયના બળે તે જીવોને હું જોઉં છું તો તે ભેદો તેનામાં દેખાતા નથી. તેમ સર્વજ્ઞ ભગવાન પોકાર કરીને કહે છે. પૃથ્વીકાય તે તો સંયોગ છે. કુળનો તો તેને સંયોગ થયો છે. પૃથ્વીકાયનું કુળ એમાં કયાં ઘૂસી ગયું છે? તેમાં અંદર ગરી(પેસી) ગયું છે? પૃથ્વીકાય એનો જીવ તો જ્ઞાયક ચિદાનંદ ભગવાન આત્મા છે. શુદ્ધનયે પૃથ્વીકાય કુળનો તે જીવમાં અભાવ છે. ત્રણે કાળ એ જીવમાં છે નહીં.
“અપ્લાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે.” અપ્લાયિક જીવના સાત લાખ કરોડ કુળ છે તે જીવને નથી. તેજકાયિક જીવોનાં ત્રણ લાખ કરોડ કુળ છે: વાયુકાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; વનસ્પતિકાયિક જીવોના અઠ્યાવીશ લાખ કરોડ કુળ છે; એકેન્દ્રિયજીવોની વાત પૂરી થઈ હવે બેઇન્દ્રિય જીવોની વાત કરે છે.
તંદ્રિય જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; ત્રીદ્રિય જીવોનાં આઠલાખ કરોડકુળ છે; ચતુરિંદ્રિય જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; પંચેન્દ્રિય જીવોને વિષે જળચર જીવોનાં સાડાબાર લાખ કરોડ કુળ છે; ખેચર જીવોનાં બાર લાખ કરોડકુળ છે, ચાર પગવાળા જીવોનાં દશ લાખ કરોડ કુળ છે; સર્પાદિક પેટે ચાલનારા જીવોનાં નવલાખ કરોડકુળ છે, નારકોના પચીશ લાખ કરોડ કુળ છે;
હવે મનુષ્યો આવ્યા, મનુષ્યોના બાર લાખ કરોડ કુળ છે... તે કુળ મનુષ્યના જીવ સ્વભાવને નથી. મનુષ્યોની અંદર જે જીવનો સ્વભાવ છે જ્ઞાયકભાવ તેમાં એ નથી. “અને દેવોનાં છવ્વીશ લાખ કરોડ કુળ છે. તે બધાં થઈને એકસો સાડી સત્તાણું લાખ કરોડ (૧૯૭૫00000000000) કુળ છે.”
આ બધા કોને છે? સંસારી જીવોને છે, સિદ્ધોને છે નહીં. હવે સંસારમાં રહેલ જે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk