Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 319
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૨૭૧ સ્વરૂપ છે તે ત્રીજો છે. બે પર્યાયનો ધર્મ છે અને એક દ્રવ્યનો ધર્મ છે. તેમનામાં ખરેખર કાંઈપણ ભેદ તફાવત નથી. તફાવત નથી એટલે કે પ્રથમથી જ મારો આત્મા શુદ્ધ છે તેમ જણાય છે. બધા આત્માઓ શુદ્ધ છે તેમ હું જાણું છું. એક મિથ્યાદેષ્ટિ ને એક સમ્યગ્દષ્ટિ એમ મારા જ્ઞાનમાં આવતું જ નથી. પર્યાય ધર્મને જોવાની એકદમ ઉપેક્ષા આવી ગઈ છે. દ્રવ્યની મસ્તી ચડી ગઈ છે. દ્રવ્યને અંતર્મુખ થઈને જ્યાં જાણે છે ત્યાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. હજુ તાજા-તાજા આનંદનું ભોજન કરીને બહાર નીકળ્યા છે. એટલે એ જ્ઞાન દ્રવ્યને જ જુએ છે, તે પર્યાયને જોતા જ નથી. “અલ્કોહેં–એક શુદ્ધ ચિતૂપોડહું” એટલે આત્મા શુદ્ધરૂપે એક છે. આત્મામાં બંધમોક્ષની પર્યાયનો અભાવ છે. તેને જાણનારા જ્ઞાનનો પણ અભાવ છે. દેવસેન આચાર્યનું નયચક્ર છે તેમાં એમ ફરમાવે છે કે જ્યારે વ્યવહારનયનો પ્રલય કરવામાં આવે છે, ત્યારે શુદ્ધનય પ્રગટ થાય છે. એકલો લય નહીં, પરંતુ પ્રલય શબ્દ છે. પ્ર=વિશેષ કરીને લય નાશ કરવામાં આવશે ત્યારે આત્માને જાણનારું એક નવું જ્ઞાન પ્રગટ થશે. એ દેવસેન આચાર્ય જ કહ્યું છે કે-આત્મામાં સ્યાદ્વાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી. આ પાનાનો પૂ. ગુરુદેવની હાજરીમાં મેં સંસ્કૃત ઉપરથી અનુવાદ કરાવ્યો હતો. નયચક્ર પેજ ૩૧-૩ર છે. “નિશ્ચયનય ઉપનયથી રહિત છે. અભેદ અને અનુપચાર જેનું લક્ષણ છે અને જે અર્થનો નિશ્ચય કરાવે છે તે નિશ્ચયનય છે.” નિશ્ચનય સ્યાદ્વાદથી રહિત હોવા છતાં નિશ્ચયાભાસપણું નથી આવતું. કારણ કે તે ઉપનયથી રહિત છે. ઉપનયના અભાવમાં સ્યાસ્પદનો અભાવ કેવી રીતે થાય છે. તે કહે છે. નિશ્ચયનય દ્વારા વ્યવહારનયનો પ્રલય પ્રાપ્ત કરાવવામાં આવે છે... ત્યારે એક નિશ્ચયનય જ પ્રકાશિત થાય છે. અંધકાર જાય છે અને એક પ્રકાશ પ્રગટ થાય છે. આહાહા...! શાસ્ત્રોમાં આ બધું છે. તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ કઈ નયથી જાણું? થોડોક-કિંચિતભેદ બન્નેની શુદ્ધતામાં નથી. પર્યાયમાં અશુદ્ધતા છે તેને ગૌણ કરી દે! તેના પરિણામને ગૌણ કરી અને તેના સામાન્ય સ્વભાવને જો. અરે! એ ભગવાન છે એમ દેખાય ત્યારે તેના પ્રત્યે ક્રોધ આવશે નહીં. આ ક્રોધને જીતવાની કળા છે. આણે મારું અપમાન કર્યું.. , તેને કહે છે-ધીરો થા... ધીરો થા... એની પર્યાયને ગૌણ કરી દે અને એના દ્રવ્યની સામે જો ! તો તને આત્મા ભગવાન દેખાશે. તેણે અપમાન કર્યું તેવો ભાવ તને આવશે જ નહીં. નાટક સમયસારમાં આવે છે કે “એક દેખિયે જાણીએ રમી રહીએ ઈક ઠૌર, સમલ-વિમલ ન વિચારીએ યહી સિદ્ધિ નહીં ઔર.” Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348