Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 341
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંતઃતત્ત્વ ૨૯૩ તે ઉપાદેયનો અર્થ કર્યો. શું કહ્યું ? ( ઉપાદેય એટલે ) વ્યવહારના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે જાણવા યોગ્ય છે કે-પર્યાય છે. એવી વિવિક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે. તેનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવિક્ષાથી નહીં. k ઉપાદેયનો અર્થ-તેનું લક્ષ કરવા યોગ્ય છે અને તે આત્મા છે અને તે અહમ્ કરવા યોગ્ય છે એવો અર્થ નથી એવી વિવિક્ષાથી કહ્યું નથી. “ વ્યવહારનયના વિષયોનું આશ્રય આલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ્ય જ છે. એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે. અહીંયા ૪૯માં ઉપાદેય કહ્યો અને ત્યાં ૫૦માં હેય કહેશે. 99 “ જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય છે. તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક્ છે એમ સમજવું, અન્યને નહીં. ” ,, દ્રવ્ય પર્યાયને જાણીને એક આશ્રય કરવા યોગ્ય છે. અને એક આશ્રય કરવા યોગ્ય નથી.. એવું જેને જ્ઞાન વર્તતું હોય તેનું નામ પ્રમાણજ્ઞાન છે. પ્રમાણજ્ઞાન વખતે પણ ભેદજ્ઞાન ચાલુ છે. પ્રમાણજ્ઞાન વખતે જ્ઞાનીને પર્યાયનું જ્ઞાન છે પરંતુ તેને પર્યાયમાં અહમ્ થતું નથી. માત્ર જ્ઞાન છે. જેવી પર્યાય છે તેવા પ્રકારનું પર્યાયનું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનનો એવો સ્વકાળ જ્ઞાનના કારણે થાય છે.. પેલું તો નિમિત્તમાત્ર છે. પ્રમાણજ્ઞાનમાં તો જેમ છે તેમ જાણતું જ્ઞાન પ્રવર્તે છે. એટલે પ્રમાણજ્ઞાન જ્ઞાનીને જ હોય છે. મિથ્યાર્દષ્ટિને પ્રમાણજ્ઞાન ન હોય. મિથ્યાર્દષ્ટિને વિકલ્પાત્મક પ્રમાણજ્ઞાન હોય તે જુદી વાત છે. એ સમસ્ત ધર્મોને યુગપ ્ જાણે છે. તે નિત્યને નિત્ય અને અનિત્યને અનિત્ય જાણે છે. એક ને એક, અનેકને અનેક, શુદ્ધને શુદ્ધ જાણે છે. થોડી પર્યાયમાં શુદ્ધતા હોય તો તેને તે રીતે જાણે છે. બધા ગુણોને, અપેક્ષિત ધર્મોને, પર્યાયોને કેવળ માત્ર જાણે.. જાણે.. જાણે ને જાણે છે. હવે જ્યારે ફરી નયનો પ્રયોગ શરૂ થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પાછા જાય છે. જ્યાં સુધી પ્રમાણમાં છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ નથી. સવિકલ્પ પ્રમાણમાં છે તો પણ જ્ઞાની બધાને જાણે છે ને! ત્યાં તેણે એકને જાણવાનું બંધ નથી કર્યું. એકને( પર્યાયને ) જાણવાનું બંધ કરે અને એકને( દ્રવ્યને ) જાણે તો નિર્વિકલ્પ ધ્યાન આવે. જેવી રીતે અનાદિ મિથ્યાર્દષ્ટિને સમ્યગ્દર્શન થાય છે એવી રીતે ચારિત્રવંતને ફરીને પર્યાયાર્થિક ચક્ષુ બંધ થાય છે. જે વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન કહ્યો ને ! હવે દ્રવ્યને જાણતાં જાણતાં પર્યાયને જાણે છે. દ્રવ્યને જાણવાનું છૂટતું નથી એટલે તો સમ્યગ્દર્શન ચાલુ રહે છે. બેને જાણે છે Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348