Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 310
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates રદર પરિશિષ્ટ ૨ મૂકવા આવ્યા હતા. હું ડબ્બામાં બેઠો હતો અને નવરંગભાઈના બા સામે ઉભા હતા. સામે ઉભા ઉભા બે હાથ લંબાવી અને એક બાજુ હકાર અને બીજી બાજુ નકાર કરવા લાગ્યા. તેમણે મને ખુશી બતાવી.. કે–મારું કામ થઈ ગયું. પછી આ દેષ્ટાંત મૈસુરમાં પણ આપેલો એ આ ભાઈએ યાદ કરાવ્યું. શ્રવણ બેલગોલામાં કહ્યું હતું અને પછી મૈસુર ગયા ત્યાં આ દાખલો આપ્યો તો બધા ખુશ.. ખુશ થઈ ગયા હતા. અજાણ્યા માણસો કે જે ભાષા ન જાણતા હોય તે પણ ઈશારાથી સમજી જાય. આ પ્રેકટીકલ વાત છે. પરિશિષ્ટ - ૨ તા. ૯/૯/’૯૧ પ્રવચન નં:-૧૬ સ્થળ:- જામનગર આજે શૌચધર્મનો દિવસ છે. મૂળવાત ખ્યાલમાં આવી જાય તો કામ થઈ જાય. અનાદિકાળથી પર્યાયબુદ્ધિ છે. પર્યાયદેષ્ટિ એટલે શું? તે પર્યાયને જ આત્મા માને છે. પર્યાયનો જ ધણી થઈને બેઠો છે. પરંતુ તે પર્યાય આત્મા નથી, એ પર્યાય નાશવાન છે. પુણ્ય-પાપના પરિણામ, ઇન્દ્રિયજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન તે કાંઈ આત્મા નથી. તે આત્માની ચીજ ન હોવા છતાં તેને પોતાની માને છે. રાગને પોતાનું માને છે, શાસ્ત્રજ્ઞાન પણ મારું છે. આ પૂજા-ભક્તિના પરિણામ મેં કર્યા. અરે ! એ પરિણામ થાય છે તેને હું જાણું છું તે વાતની ખબર નથી. પરિણામ આવે છે તેમાં કર્તાબુદ્ધિ કરી લ્યે છે. આહા ! શુભભાવ અજ્ઞાનીને આવે છે અને જ્ઞાનીને પણ આવે છે. એક માને છે કે-આ શુભભાવ મેં કર્યો અને તે કરતાં-કરતાં ધર્મ થશે, લાભ થશે. બીજો સાધક બેઠો છે ભક્તિમાં ને પૂજામાં, એ જાણે છે કે શુભભાવ આવે છે ને જાય છે. તેને પણ હું દૂર રહીને જાણું છું, તેની સમીપે જઈને તેને જાણતો નથી. તેની સમીપે એટલે તેનું લક્ષ કરીને શુભભાવ જ્ઞાનનું શેય થતું નથી. આત્માના લક્ષપૂર્વક શુભભાવ જણાય તો તેને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. શુભભાવ શુભભાવના લક્ષ વગર જણાય છે. આ ૭૧ નંબરનો કળશ છે. પૂ. ગુરુદેવ પાસેથી ઘણી વખત સાંભળ્યો છે. પર્યાય દૃષ્ટિ છૂટી અને દ્રવ્યદૃષ્ટિ થાય તેવો બહુ ઊંચો આ કળશ છે. પર્યાયર્દષ્ટિ એટલે દેહને પોતાનો માનવો, રાગને પોતાનો માનવો, પરિણામને પોતાના માનવા તે પર્યાયર્દષ્ટિ છે. “ જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે.” સુબુદ્ધિઓને એટલે સમ્યગ્દષ્ટિ જીવોને–સાધકને, તેમજ કુબુદ્ધિ એટલે કે મિથ્યાર્દષ્ટિઓને પ્રથમથી જ શુદ્ધતા છે. પહેલા અશુદ્ધતા હતી અને પછી શુદ્ધતા થઈ છે તે જીવ નથી. તે વ્યવહા૨જીવ છે પણ નિશ્ચયજીવ નથી. એ પર્યાય છે દ્રવ્ય નથી. દ્રવ્ય અને પર્યાય આ વસ્તુ તો ખાસ સમજવા જેવી છે. સોનું છે તેને દ્રવ્ય કહેવાય અને તેની અવસ્થા એટલે ઘાટ થાય જે બંગડી, વીંટી, પોંચી તે બધાને તેની પર્યાયો કહેવાય. એ સોનીની પર્યાય નથી પરંતુ તે Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348