Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 303
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંતઃતત્ત્વ પ્રકારે નથી માટે બે નય નથી. ( શ્રોતા-અપૂર્વ ન્યાય આપ્યો.) શું કહ્યું ? ફરીને.., શુદ્ધનય એક જ છે. બીજી નય અમારી પાસે નથી. પર્યાયને જોનારું વ્યવહારજ્ઞાન, પર્યાયનાં ભેદોને જાણનારું વ્યવહારજ્ઞાન અમારી પાસે નથી. અભેદને જાણનારું જ્ઞાન અમારી પાસે છે. અમારો અભેદ આત્મા અમે જોયો છે, એ નય અમારી પાસે છે. એ નયથી અમે જોઈએ છીએ તો બધા આત્મા અમને ૫૨માત્મા દેખાય છે. બધા આત્મા ભગવાન છે. કોઈ સંસારી કે કોઈ મોક્ષમાર્ગી અમને દેખાતા નથી. કેમકે એ ભેદ પાડનારી વ્યવહારનય છે. જીવ એવો છે જ નહીં. એક મિથ્યાદૃષ્ટિ અને એક સમ્યગ્દષ્ટિ એવો જીવ જ નથી. આહા.. હા ! જીવનું એવું રૂપને સ્વરૂપ જ નથી. કેમકે પરિણામથી તો આત્મા વ્યતિરિક્ત છે આનું નામ દૃષ્ટિ છે. ન આવો આત્મા જ્યારે દૃષ્ટિમાં આવે ને ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાન થાય છે. સમ્યગ્દર્શનના વિષયમાં ભૂલ છે. સમ્યગ્દર્શન કેમ થતું નથી ? એના વિષયની જેટલી સંશોધન શક્તિ જોઈએ તેટલા પ્રમાણમાં સંશોધન દૃષ્ટિ થઈ નથી. થોડું જાણ્યું કે પુણ્યપાપથી રહિત શુદ્ધાત્મા છે.. એ ન ચાલે. શ૨ી૨થી આત્મા ભિન્ન છે, કર્મથી આત્મા ભિન્ન છે, .. તેમાં દૃષ્ટિનો વિષય આવી ગયો. તો કહે છે-નથી આવ્યો, દૃષ્ટિનો વિષય કયારે આવ્યો કહેવાય કે–જ્યારે દૃષ્ટિ પ્રગટ થાય ત્યારે. એક જ નય પ્રગટ થાય છે, બીજી નય પ્રગટ થતી જ નથી. એટલે વ્યવહારનય મારામાં છે જ નહીં. હું વ્યવહારનયથી ભેદને જોતો જ નથી. વ્યવહારનય ભેદ કરે છે પરંતુ નિશ્ચયનય ભેદ કરતી નથી. આહા.. હા ! મુનિરાજને આ કળશમાં શું કાંઈ મસ્તી ચડી ગઈ છે અને ગુરુદેવને પણ એવી જ મસ્તી હતી. ભાસે છે તો ઘણું પણ ભાવમાં આવતું નથી. આહા... હા ! કહે છે કે–બીજી નય નથી, શુદ્ઘનય એક જ છે. તેનું કારણ કે શુદ્ધાત્મા એક છે. જો શુદ્ધાત્મા બે રૂપ હોય તો બે નય હોય. શુદ્ધાત્માના બે રૂપ નથી આત્મા એક જ રૂપે રહેલો છે. તે જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક છે. પ્રમત્ત અપ્રમત્તને જાણનારી નય અમારી પાસે નથી કેમકે આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી. પ્રમત્ત-અપ્રમત્ત તે જ્ઞાયકનો ભેદ નથી, તે તો પુદ્ગલના પ્રકારો છે. પુદ્ગલને જાણનારું જ્ઞાન અમારી પાસે નથી એમ જાણીને અમે ઠરી જાઈએ છીએ. જો અમે બીજાને જાણવા જઈએ છીએ તો ઉપયોગ ફરી જાય છે. અમારો ઉપયોગ ઠરે છે પણ ફરતો નથી માટે નય એક જ છે. ૨૫૫ જો ભેદનું અવલંબન લઈએ તો વ્યવહાર ઉભો થાય છે. અમે ભેદનું અવલંબન લેતા નથી. અમને અભેદનું અવલંબન છૂટતું નથી, અભેદનો આશ્રય છૂટતો નથી. અભેદને જાણનારી એક જ નય છે. અભેદ પણ એક અને નય પણ એક જ છે. શુદ્ધાત્મા એક અને તેને જાણનારી નય પણ એક જ છે. એ.. શું કહ્યું ? પ્રભુ! તું સાંભળ ! મુનિરાજ કહે છે કે–‘તેમનામાં' એટલે કે Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348