Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 322
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ પરિશિષ્ટ – ૩ આત્માનું જ્ઞાન અર્થાત્ સમ્યજ્ઞાન નહીં થાય. પરિણામ પરદ્રવ્ય છે માટે સ્વદ્રવ્ય તેનો કર્તા નથી. શુદ્ધાત્મા જ્ઞાયક છે તે ઉપાદેય તત્ત્વ છે જ્યારે પરિણામ પરદ્રવ્ય છે માટે ખરેખર એ પરદ્રવ્યનો કર્તા ન હોય જેમ આને (શરીરને) ન કરે તેમ સ્વદ્રવ્ય પદ્રવ્યને ન કરે. કર્મના સંગે જે પરિણામ પ્રગટ થાય છે માટે તે પરદ્રવ્ય છે. આત્મા તેનો કર્તા નથી. એની કર્તબુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાદર્શન છે. કેમકે પરદ્રવ્યને જાણતાં સ્વદ્રવ્ય ન જણાય. જ્યારે પરદ્રવ્યને જાણવાનું બંધ કરે ત્યારે સ્વદ્રવ્ય જણાય.. જણાયને જણાય. અધ્યાત્મની કયાંની કયાં ઊંચી વાત છે. આ તો સીમંધર ભગવાન પાસેથી સાંભળ્યું હોય તો જ કહી શકાય, નહીં તો પર્યાયને પરદ્રવ્ય ન કહી શકાય. –સંવરની પર્યાય પરદ્રવ્ય છે, મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. કેમકે પરદ્રવ્યની સાથે સર્વ સંબંધની નાસ્તિ છે. “નાસ્તિ સર્વોપિ સંબંધ: પરદ્રવ્ય આત્મતત્ત્વયોઃ” પરદ્રવ્યની સાથે આત્માને કાંઈ પણ સંબંધ નથી. પરદ્રવ્ય એટલે આ પર્યાયની વાત ચાલે છે હોં ! એ પરદ્રવ્યની સાથે કશો સંબંધ નથી? કર્તકર્મ સંબંધ નથી ? કહે-ના. તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે કે નહીં? કહે-ના. તો પછી જ્ઞાતા-રોય સંબંધ છે કે નહીં ? કહે-ના. આત્મા જ્ઞાતા અને પરદ્રવ્ય મારું જ્ઞય એવો સંબંધ નથી. કશોય સંબંધ નથી.. તોડી નાખ સઘળોય સંબંધ તો તને આત્મદર્શન થશે. આ નિયમસાર તો નિયમસાર છે. “સાત તત્ત્વોનો સમૂહુ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” એટલે કે આશ્રય કરવા યોગ્ય નથી, લક્ષ કરવા યોગ્ય નથી.” એમાં મમત્વ કરવા યોગ્ય નથી. મોક્ષની પર્યાય મમત્વ કરવા યોગ્ય નથી. ભવિષ્યમાં મારે મોક્ષની પર્યાય પ્રગટ કરવી છે તો નહીં થાય. એના અત્યારે પ્રત્યાખ્યાન કરવાના છે. ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના અને ભવિષ્યના પ્રત્યાખ્યાન કરવાના છે. આ સંવર પ્રગટ કરવા યોગ્ય છે. પરદ્રવ્યને પ્રગટ કરવું તારા અધિકારની વાત છે ! તું પરદ્રવ્યને પ્રગટ કરી શકે છે? જે પરદ્રવ્ય પ્રગટ થાય છે તેને જાણવાનો પણ અમારે હજુ નિષેધ કરવાનો છે. ત્યાં તો તે કરવાની કથા કયાં માંડી ? આહાહા! મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે? નહીં થાય, કેમકે તે પરદ્રવ્યનો કર્તા બની ગયો. સમ્યગ્દર્શનની પર્યાય પરદ્રવ્ય છે. ધર્મના પરિણામનો ભેદ પરદ્રવ્ય છે, પરંતુ અભેદ થાય તો તે આત્મા છે શું કહ્યું? ધર્મના પરિણામનો ભેદ છે તે પરદ્રવ્ય છે અને અભેદ થાય તો તે આત્મા છે એ ધ્યાન રાખવું. ધર્મના પરિણામ માટે પ્રગટ કરવા છે અને પ્રગટ કરીને તે જાણેલો પ્રયોજનવાન છે... એ બન્ને ભૂલ છે. જે પ્રગટ છે તેને જો ને! પ્રગટ કરીને પછી જાણું... પ્રગટ કરીને પછી હું તેને જાણું, તેના કરતાં જે પ્રગટ છે તેને જાણને ! પ્રગટને જાણવું તેનું નામ સમ્યગ્દર્શન Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348