Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 327
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૨૭૯ દ "" પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે ”, પાંચ પ્રકારની જે ભાવઇન્દ્રિયો છે તેનો ફેલાવો રોકાય જાય છે. આંખથી અમે ૫૨ને જાણતા નથી, કાનથી સાંભળતા નથી, જીભથી સ્વાદ લેતા નથી, નાકથી સૂંઘતા નથી અને સ્પર્શ ઇન્દ્રિયથી ઠંડી હવાને અનુભવતા નથી. તેમણે ઇન્દ્રિયો ઉપર જીત મેળવી છે.. તે જિતેન્દ્રિય છે. દેહમાત્ર જેને પરિગ્રહ છે એટલે દેહનો સંયોગ છે પરંતુ દેહ પ્રત્યે મમતા નથી. પરિગ્રહનો અર્થ મમતા નથી. સંયોગ એટલે દેહનો સંયોગ હજુ છે. કેમકે સિદ્ધ અવસ્થા ન થાય ત્યાં સુધી સાધકને કે અરિહંતને દેહ રહે છે. અરિહંતને પણ દેહ તો છે. “ જે ૫૨મ જિનયોગીશ્વર છે”, આહાહા ! પોતે પોતાનું સંબોધન કરે છે. અમે યોગી નથી પરંતુ પરમ જિનયોગીશ્વર છીએ. એકલા યોગીશ્વર નહીં પરંતુ ‘પરમ ’ અને જિન એ બે વિશેષણ છે. આહાહા ! જેણે મોહ-રાગ-દ્વેષને જીતી લીધો છે. પાછું અહીંયા જૈન શબ્દ નથી વાપર્યો... પરંતુ ‘જિન’ શબ્દ વાપર્યો છે. ‘જિન' શબ્દ તો ખરેખર ભગવાન માટે વપરાય છે. જ્યારે જૈન તો ચોથાગુણસ્થાનવાળો પણ છે. પાંચમા ગુણસ્થાનવાળો જૈન છે. છઠ્ઠા ગુણસ્થાનવાળો જિનના લઘુનંદન છે. હવે તે જિન થઈ ગયો છે. કેમકે તેને વૈરાગ્યની ટોંચ આવી ગઈ છે. તેમને અસંખ્ય પ્રદેશે વૈરાગ્ય ઉછળે છે. હમણાં કેવળજ્ઞાન લેશું કે લીધું એવી અંદરમાં તૈયારી છે. જે પરમ જિન યોગીશ્વર છે એટલે યોગીઓમાં પણ ઉત્કૃષ્ટ છે. આ ટીકાકાર છે એ ભાવિ તીર્થંકર છે. ૨૧૨ નંબરના કળશમાં પોતે લખી ગયા છે. આપણને બે ભાવિ તીર્થંકરનો ઉપદેશ મળ્યો. એક સૂર્યકીર્તિ ભગવાન અને બીજા ટીકાકાર ભાવિ તીર્થંકર. આ ગજબનો સારો કાળ છે.. જાણે ચોથાકાળ જેવું છે. પ્રશ્ન:- જૈન અને જિનમાં શું ફેર છે? ઉત્ત૨:- જિન છે એ જૈન કરતાં ઉત્કૃષ્ટ શબ્દ છે. જૈન છે તેણે તો મોહને જીત્યો છે જ્યારે આમણે તો રાગ-દ્વેષને જીત્યા છે. તેમને વિશેષ વીતરાગતા વધી છે. જેણે મોહ જીત્યો છે તે જૈન છે પણ જિન નથી. “ ઐસે મુનિવર દેખે વનમેં.. જાકે રાગ-દ્વેષ નહીં તનમેં ”, આવા જિન છે. એ આવે તો જાણે હાલતા.. ચાલતા સિદ્ધ આવે છે. અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસારમાં લખે છે કે–આ રહ્યા અમે મોક્ષમાર્ગના પ્રણેતા... જોઈ લ્યો ! મોક્ષમાર્ગ જોવો હોય તો અમને જોઈ લ્યો ને ! “ સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે”, સ્વદ્રવ્યમાં બુદ્ધિ તો ચોથા પાંચમાવાળાની પણ છે જ, પરંતુ તીક્ષ્ણ નથી. ચોથા-પાંચમાવાળાને લક્ષ તો દ્રવ્યનું જ છે. તેની બુદ્ધિ તો ત્યાં ગઈ છે પરંતુ તીક્ષ્ણ નથી. આ તો મુનિરાજ તેની શું વાત કરવી !! แ ‘સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે-એવા આત્માને ‘ આત્મા ’ ખરેખર ઉપાદેય છે. ” એવા આત્માને એટલે કે એવા અમને... તેમ પોતાથી વાત કરે છે. ઉ૫૨ કહ્યો એવા Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348