________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
પરિશિષ્ટ – ૩ વાત તો કરતા જ નથી, આત્મા પરદ્રવ્યને જાણે છે કે હવે જાણવાનું બંધ કરે છે એ વાત કહેતા જ નથી. પણ તું એ પર્યાયને જાણવાનું બંધ કરી દે. બહારની દુનિયામાં શું થાય છે એ વાત તો અહીંયા છે જ નહીં. અહીં પર્યાય પરદ્રવ્ય છે. પર્યાય પરભાવ છે ભાવાન્તર છે, હવે એને જે જાણે છે અને એમ માને છે કે પર્યાયને હું જાણું છું તે દિગમ્બર જૈન નથી. એ તો મિથ્યાષ્ટિ છે માટે એ પર્યાયને જાણવાનું બંધ કરી દે. ભાવાન્તરને ગોચર કરતાં આ કારણે પરમાત્માના તને દર્શન નહીં થાય. તને રાગના દર્શન થશે.
“ઔદિયિક આદિ ચાર ભાવાન્તરોને અગોચર હોવાથી જે કારણપરમાત્મા”, કારણ પરમાત્મા આવ્યું તો કારણ પરમાત્માની સાથે કાર્ય શુદ્ધ પરમાત્મા. કારણ શુદ્ધ પર્યાય સામે કાર્ય શુદ્ધ પર્યાય આવી. એ કારણ પરમાત્મા કેવો છે? દ્રવ્યકર્મ એટલે જ્ઞાનાવરણાદિ આદિ આઠ પ્રકારના જે કર્મ છે તે દ્રવ્યકર્મ છે. રાગ-દ્વેષ-મોહ તે ભાવકર્મ છે અને શરીરાદિ નોકર્મ છે.
દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે.” કર્મની ઉપાધિથી જન્મેલા અર્થાત્ તેના સંગે જન્મેલા જે વિભાવગુણ પર્યાયો છે-વિશેષગુણ પર્યાયો છે તેમાં બધુંય લઈ લેવું. વિભાવગુણ પર્યાયો વિનાનો તેનો અર્થ વિનાનો છે, વિનાનો થાય છે તેમ નહીં.
- તું આત્માને પર્યાયથી સહિત માની બેઠો છે એ તારી ભૂલ છે. શરીરથી તો સહિત નથી પરંતુ પરિણામથી પણ સહિત નથી. આત્મા કેવળજ્ઞાનની પર્યાયથી સહિત નથી. આત્મા મોક્ષની પર્યાયથી સહિત નથી. મોક્ષની પર્યાયથી રહિત આત્મા છે તેમ વ્યતિરિક્તમાં આવ્યું. અનાદિ અનંત આત્મા પરિણામથી રહિત છે.
આ રહિત અને સહિતની રમત ગુરુ-શિષ્ય વચ્ચે ચાલે છે. આજ રહિતની ચર્ચા કરી. પરંતુ સહિત થયો? આપે કહ્યું ને પર્યાય થી રહિત છો. પર્યાયથી રહિત છે તો પછી સહિત કયાંથી થાઉં. જો તું (નિર્મળ પર્યાયથી) સહિત નથી થયો તો તારું રહિત ખોટું છે. આ સ્યાદ્વાદ આવી ચીજ છે.
આહા ! સર્વથા રહિત પૂર્વક કથંચિત્ સહિત થાય છે. આત્મા કથંચિત્ સહિત થાય છે. રહિતમાં સર્વથા લગાડજો.. અને સહિતમાં સર્વથા ન લગાડજો ત્યાં કથંચિત્ લગાડજો. કેમ કે જો પર્યાયથી સર્વથા સહિત કહેશો તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો નાશ થશે. માટે તેમાં કથંચિત્ સહિત કહ્યું. પર્યાય કથંચિત્ અભિન્ન છે, સર્વથા અભિન્ન નથી.
ઔદયિક આદિ ચાર ભાવોને અગોચર હોવાથી એટલે કે એનું લક્ષ કરતાં ભગવાન આત્માના દર્શન થતા નથી. માટે ચાર ભાવોને અગોચર કહ્યું છે. જે કારણ પરમાત્મા છે તે આઠકર્મ વિનાનો અત્યારે છે. અત્યારે આત્મા આયુષ્યકર્મ વિનાનો છે. તો તો અત્યારે દેહ અને આત્મા જુદા થઈ જવા જોઈએ આયુષ્યકર્મનો જો અત્યારે બંધ ન હોય તો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk