Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 23
________________ શ્રુતજ્ઞાના ઇન્દ્રિય અને મન દ્વારા શ્રુતને અનુસરીને થતો બોધ એ શ્રુતજ્ઞાન છે. એના ૧૪ પ્રકાર છે. અક્ષરદ્યુતઃ અક્ષરો પરથી થતું શ્રુતજ્ઞાન એ અક્ષર શ્રુત છે. અક્ષર ત્રણ પ્રકારે છે. લખાતા શબ્દો (હંસલિપિ વગેરે લિપિઓ) સંજ્ઞાક્ષર છે. ઉચ્ચારાતા શબ્દો વ્યંજનાક્ષર છે. શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ એ લબ્ધિઅક્ષર છે. અનBરહ્યુતઃ ખોંખારો, ચપટી વગેરે પરથી થતો બોધ અનરશ્રુત છે. સંક્ષિશ્રુતઃ મનવાળા જીવો સંજ્ઞી છે એમનું શ્રત એ સંશિશ્રુત. અસંશી શ્રુતઃ મનવગરના જીવો સંજ્ઞી છે, એમનું શ્રુત અસંશિશુત. સમ્યકશ્રુત ઃ સર્વજ્ઞવચનને અનુસરીને રચાયેલાં આચારાંગ વગેરે ગ્રન્યો એ સમ્યક્રશ્ચત. અથવા જેન-અજૈન કોઇપણ ગ્રથ પરથી સમ્યકત્વને થતો બોધ એ સમ્યકુશ્રુત. મિથ્યાશ્રુત : મિથ્યાત્વીએ રચેલાં ગ્રન્થો એ મિથ્યાશ્રુત અથવા જૈન અજેને કોઇપણ ગ્રન્થપરથી મિથ્યાત્વીને થતો બોધ એ મિથ્યાશ્રુત. સાહિશ્રુતઃ જેનો આરંભ થયો હોય તે. જેમકે એક જીવનું શ્રુતજ્ઞાન. અનાદિષ્ણુતઃ જેનો આરંભ ન હોય તે. જેમને અનેક જીવોની અપેક્ષાએ શ્રુતજ્ઞાન. સપર્યવસિત (સાત્ત) શ્રુતઃ જેનો અંત હોય છે, જેમકે ભરતક્ષેત્રમાં શ્રુતજ્ઞાન. અપર્યવસિતશ્રુતઃ અંત વિનાનું શ્રુત. જેમકે મહાવિદેહક્ષેત્રમાં શ્રુતજ્ઞાન. ગમિકહ્યુત : જે શાસ્ત્રમાં એકસરખા આલાવા-પાઠ હોય તે ગમિક શ્રત, જેમકે દૃષ્ટિવાદ. અગમિકહ્યુતઃ જેમાં એકસરખા આલાવા ન હોય તેવા શાસ્ત્રો. જેમકે કાલિક શ્રુત. અંગપ્રવિષ્ટ : ગણધર ભગવંતોએ રચેલી દ્વાદશાંગી. અંગબાહ્યશ્રુતઃ દ્વાદશાંગી સિવાયના શાસ્ત્રો. શ્રુતજ્ઞાનના આ ૧૪ ભેદો સિવાય બીજી વિવલાથી પર્યાય શ્રુત વગેરે ૨૦ ભેદો પણ છે. જિજ્ઞાસુએ પહેલો કર્મગ્રન્થ વગેરેમાંથી એ જાણી લેવા. સમાધાનમ્

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78