________________
નિદાન થયા પછી એનો સફળ ઉપચાર થઇ શકે છે, આ વાત તો આપણે સૌ જાણીએ છીએ.
એ જ રીતે “નય' દ્વારા વસ્તુના ભિન્ન ભિન્ન અંગોને જાણવાની જે પદ્ધતિ છે, તે પણ આવી જ એક પૃથક્કરણ વિધી-Analytical process છે. જૈન તત્ત્વજ્ઞાનીઓએ વસ્તુના જુદા જુદા સ્વરૂપોનું વર્ગીકરણ (Analysis) કરવા માટે સાત પ્રકારની પ્રયોગશાળાઓ આપણી સમક્ષ રજુ કરી છે અને તેમણે એને “નય, સાત નય” એવું નામ આપ્યું છે. આ સાત નયને હવે આપણે ક્રમશઃ તપાસીએ. એ સાતેના નામથી તો આપણે પરિચિત થઇ ગયા છીએ. તેનો ફરીથી ઉલ્લેખ કરીએ :
૧. નેગમ નય. ૨. સંગ્રહ નય. ૩. વ્યવહાર નય. ૪. ઋજુસૂત્ર નય. ૫. શબ્દ નય. ૬. સમભિરૂઢ નય. ૭. એવંભૂત નય.
અહીં એટલું ધ્યાનમાં રહે, કે “નય” એ, એક દષ્ટિ છે. વસ્તુને જોવાની દૃષ્ટિ છે. એમાં ઉત્તરોત્તર નય, પૂર્વ પૂર્વ નય કરતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર દષ્ટિવાળો છે.
૧. નેગમ નય એની સંક્ષિપ્તમાં વ્યાખ્યા કરવી હોય તો આપણે એમ કહી શકીશું કેઃ “વસ્તુના સામાન્ય તથા વિશેષ એમ ઉભય સ્વરૂપને માને, પરંતુ અલગ અલગ માને તે નેગમ.' અંગ્રેજીમાં આને આપણે “Figurative knowledge' એમ કહી શકીશું.
આ નયમાં બે ખાસ વાત આવે છે. આમાં રહેલી પહેલી વાત એ છે, કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન”, એ ત્રણેને આ નય વર્તમાનવત્' બતાવે છે આ કેવી રીતે આપણે જોઇએ.
. એમરિકા પ્રવાસે જવાનું નક્કી કર્યા પછી પરમાણંદ નામના આપણા એક મિત્ર આપણને મળે છે, ત્યારે કહે છે, કે “હું અમેરિકા જઉં છું.” હવે પરમાણંદભાઇ જ્યારે આ વાત આપણને કરે છે ત્યારે, તે વખતે તેઓ ખરેખર તો આપણી સામે ભારતમાં જ ઊભા છે. આમ છતાં તેમણે જવાનો સંકલ્પ કર્યો છે, એટલે વ્યવહા૨ દૃષ્ટિથી આપણને એમ કહે છે, કે “હું જાઉં છું.” એ વાતનો આપણે વિરોધ નથી કરતા. જવાની ક્રિયા તો ભવિષ્યમાં થવાની છે પરંતુ એમણે સંકલ્પ કર્યો છે, એટલે આપણે એમના પ્રવાસે જવાની વાતને વર્તમાનવ” માની લઇએ છીએ.
મેડીકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે “ડૉક્ટર' શબ્દનું સંબોધન સર્વસામાન્ય છે. વિદ્યાર્થી હજુ તો ભણે છે, પાસ થઇને ડૉક્ટર તરીકેનું કામ તો
=-નય અને પ્રમાણ