________________
11 SECRETS
(૫) સાત્ત્વિક ભોજન :
તમાકું, ગાંજો, અફીણ, દારૂ જેવા નશીલા પદાર્થોથી માંડીને
ચા-કૉફી જેવા કૅફી પદાર્થોમાં વિકારક તત્ત્વો હોવાથી
તેઓ શરીરની સર્વ ધાતુઓને વિકારી કરે છે. એટલું જ નહીં
પણ તેમનું સૂક્ષ્મ તત્ત્વ છેક મન સુધી પણ પહોંચે છે
અને મન અને આત્માને પણ વિકારી કરે છે.
આ પદાર્થો એક પ્રકારના ઝેર છે.
આ પદાર્થોને ખાનારા
કદી પણ શારીરિક, માનસિક કે આત્મિક આરોગ્યને
પામી શકતા નથી.
શુદ્ધ આહાર પણ વધુ પડતો ખાવો
કે બરાબર ચાવ્યા વિનાનો ખાવો
એ ઝેરનું ઉત્પાદન કરવા બરાબર છે.
ખાંડ-ઘી-તેલ-મસાલાનો વધુ પડતો ઉપયોગ
શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે જોખમરૂપ બને છે. ભારે મિષ્ટાન્ન અને તળેલી વસ્તુઓ
સ્ફૂર્તિલા શરીર અને સ્વસ્થ-પવિત્ર મનના દુશ્મનો છે. સાત્ત્વિક ભોજન અંગે શરૂઆતમાં જે વાતો કહી
તે બધી જ અહીં પણ ધ્યાનમાં લેવા જેવી છે.
That's the way to protect our character.
(૬) સાત્ત્વિક વેશ :
I told you so many points
about good dress.
My dear,
તો પણ આ એટલી Important matter છે,
૧૪૭