Book Title: Jain Siddhanta Praveshika Author(s): Gopaldas Baraiya Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૪ ] [ અધ્યાય : ૧ ૭ પ્ર. અસ્તિત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય, તેને અસ્તિત્વ ગુણ કહે છે. ૮ પ્ર. વસ્તુત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યમાં અર્થક્રિયા હોય. તેને વસ્તુત્વગુણ કહે છે જેમકે ઘડાની અર્થક્રિયા જલધારણ છે. ૯ પ્ર. દ્રવ્યત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય સદા એક સરખાં ન રહે અને જેની પર્યાયો (હાલતો) હમેશાં બદલતી રહે. ૧૦ પ્ર. પ્રમેયત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વગુણ કહે છે. ૧૧ પ્ર. અગુરુલઘુત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન પરિણમે અથવા એક ગુણ બીજા ગુણરૂપે ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક અથવા અનન્તગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય, તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 210