Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 466
________________ ૩૦. ધ્યાનાષ્ટક ૪૦૫ પણ ઉપમા આપી શકાય એવી કોઈ શક્યતા નથી. એટલે વાસ્તવમાં તો ત્રણ ભુવનમાં આવા ધ્યાની મહાત્માની સરખામણી કરી શકાય એવી કોઈ ચડિયાતી બીજી વ્યક્તિ કે વસ્તુ નથી. આવા ધ્યાની મહાત્માનાં લક્ષણો નીચે પ્રમાણે આપવામાં આવ્યાં છેઃ (૧) જિતેન્દ્રિય-ધ્યાની મહાત્મા જિતેન્દ્રિય હોય છે. તેમણે પોતાની પાંચે ઇન્દ્રિયોને એના વિષયોમાં જતી સ્વેચ્છાએ રોકી હોય છે. એમની ઇન્દ્રિયો સંયમમાં રહે છે. તે ઇન્દ્રિયો પીગલિક વિષયોમાં રાચતી નથી. પોતાની ઇન્દ્રિયોને અંદર વાળીને તેઓ સ્વરૂપમાં રમણતા કરે છે. (૨) ધીર–ધ્યાની મહાત્મા શૈર્યવાન હોય છે. ગમે તેવા વિપરીત સંજોગોમાં અને ઉગ્ર પરીષહ અને ઉપસર્ગ વખતે પણ તેમની સ્થિરતા, ધૈર્ય ચલિત થતાં નથી. તેઓ સત્ત્વશાળી હોય છે. જે ધીર હોય તે જ ધ્યાનમાંથી ચલિત ન થાય. (૩) પ્રશાન્ત-ધ્યાની મહાત્મા ઉપશમ રસથી ભરેલા હોય છે. કષાય અને નોકષાયના આવેગોથી તેઓ ચલિત થતા નથી. તેઓ આત્મસ્વરૂપમાં લીન હોવાથી કોઈ આવેગોને વશ થતા નથી. પણ આવેગો તેમને વશ થાય છે. (૪) સ્થિર-તેઓ સ્વરૂપ-રમણતામાં સ્થિર હોય છે. તેમના મન, વચન અને કાયાના યોગોમાં ચંચળતા હોતી નથી. (૫) સુખાસની-સુખાસન એટલે સુખે, આરામથી બેસી શકાય એવું આસન. થોડી થોડી વારે હાથ પગ જકડાઈ જાય અને ઊંચાનીચા કરવા પડે એવી રીતે બેસે નહિ, પણ એક જ પલાંઠી કે પદ્માસનમાં ઝાઝી વાર આરામથી બેસી શકાય એવી રીતે તેઓ બેસે છે. ખગાસનમાં ઊભા ઊભા તેઓ ધ્યાન ધરે ત્યારે પણ વિક્ષેપ ન પડે એવી યોગ્ય જગ્યાએ ઊભા રહીને તેઓ ધ્યાન ધરે છે. (૬) ન્યાસાગ્રનેત્ર-પરાપૂર્વથી યોગવિદ્યાના આચાર્યોએ અનુભવથી એ શોધી કાઢ્યું છે કે ધ્યાન ધરતી વખતે આંખોને નાકના અગ્ર ભાગ ઉપર, ટેરવા ઉપર સ્થિર રાખવાથી ચિત્ત સંયમમાં રહે છે, વિક્ષેપ પડતો નથી અને એકાગ્રતા વધે છે. અભ્યાસની શરૂઆતમાં આંખો દુઃખે છે, થાકી જવાય છે, પણ પછી ધ્યાનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514