Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 475
________________ ૪૧૪ જ્ઞાનસાર [યોગીઓને સમાધિમાં રતિ હોવાથી અત્યંત તીવ્ર ક્રિયામાં પણ અરતિ થતી નથી. ચકોર પક્ષીઓ સુધાને પીવાના ગુણથી અગ્નિના કણને ખાવામાં પણ શું વ્યાકુળતારહિત હોતા નથી ? [૨૪૫] ú ટુ વ્રરૂપત્ની તપોવ્યર્થમિતિછતીમ્ | વૌદ્ધાનાં નિહતા વૃદ્ધિર્વોદ્ધાનન્ધાપરિક્ષયાત્ Iોરૂ પાપા [શબ્દાર્થ થં એ પ્રમાણે; =અને;૩:૩રૂપત્ની દુઃખરૂપ હોવાથી; ત૫:=ાપ; વ્યર્થ નિષ્ફળ; તિ=એમ; રૃચ્છતા=ઇચ્છનારા; માનનારા; વૌદ્ધાના=બોદ્ધોની; નિહતા=હત થયેલી, હણાયેલી, કુંઠિત થયેલી; વુદ્ધિ =બુદ્ધિ વૌઠાનં=જ્ઞાનાનંદ; અપરિક્ષય-નાશ નહિ થવાથી.]. અનુવાદ: આ પ્રમાણે દુઃખરૂપ હોવાથી તપ વ્યર્થ છેએમ માનનારા બૌદ્ધોની બુદ્ધિ હણાયેલી છે, કારણ કે જ્ઞાનાનંદ ખંડિત થતો નથી. (૫) વિશેષાર્થઃ ભારતીય પરંપરામાં બાહ્ય તપ ઉપર જેટલો ભાર મૂકવામાં આવ્યો છે તેટલો પાશ્ચાત્ય ધર્મોમાં મૂકવામાં નથી આવ્યો. તપ અંગે પણ કેટલાક લોકો એમ માને છે કે અનશનાદિ બાહ્ય તપ આરોગ્ય અને દેહશુદ્ધિ માટે છે, કેટલાક માને છે કે તપ મનની શુદ્ધિ અને ઇન્દ્રિયસંયમ માટે છે. જ્યાં આ માન્યતાઓ છે ત્યાં કુદરતી રીતે શરીર સારું રહેતું હોય અને મન સંયમમાં રહેતું હોય તો તપની આવશ્યકતા નથી એમ પણ કેટલાક માને છે. ભગવાન બુદ્ધ પોતે અતિશય કઠોર બાહ્ય તપશ્ચર્યા કરી હતી અને એથી ક્યારેક તેઓ બેભાન પણ થઈ જતા. પરંતુ પછી એમણે “મધ્યમ માર્ગ સ્વીકાર્યો અને કષ્ટમય તપનો અસ્વીકાર કર્યો. તપથી કર્મનો ક્ષય થાય છે એ વાત બૌદ્ધ ધર્મમાં આવતી નથી. એટલે બળદ વગેરે જે કષ્ટ ભોગવે છે તે તો પોતાનાં કર્મને કારણે ભોગવે છે, પણ માણસે હાથે કરીને, ભૂખ્યા રહીને વ્યર્થ કષ્ટ ભોગવવાની શી જરૂર ? આવો પ્રશ્ન તેઓ કરે છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514