Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 486
________________ ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક ૪ ૨૫ કોઈ નય માટે રાગ નથી હોતો તેમ તેષ પણ નથી હોતો. બધા નયોમાંથી તેઓ ગ્રહણ કરવા યોગ્ય હોય તે ગ્રહણ કરે છે. એથી એમની જ્ઞાનદૃષ્ટિ વિશેષ ખૂલે છે. તેઓ સમતાના સુખનો અનુભવ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્યે તીર્થંકર ભગવાનને સંબોધન કરીને કહ્યું છે : अन्योन्य पक्ष प्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ [પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવાહો દ્વેષથી ભરેલા છે. પરંતુ સર્વ નયોને સમાનપણે ઇચ્છનાર તમારો સમય (સિદ્ધાન્ત) પક્ષપાતી નથી.] જૈન દર્શને એટલા માટે સ્યાદ્વાદ શૈલી અપનાવી છે. તે નિશ્ચયનય અને વ્યવહારનય અથવા દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયનો સમન્વય કરે છે. એટલે જ જેને દર્શન કહે છે કે આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. એમાં વેદાંતની માન્યતા કે આત્મા નિત્ય જ છે તે અને બૌદ્ધ દર્શનની માન્યતા કે આત્મા ક્ષણિક છે તે બંનેનો સમન્વય થાય છે. પોતાના જ મતનો આગ્રહ રાખવો અને બીજાને ખોટા કહેવા એ અજ્ઞાન છે. શ્રી સિદ્ધસેન દિવાકરે “સન્મતિ તર્કમાં કહ્યું છેઃ तम्हा सव्वे वि णया मिच्छादिट्टी सपक्खपडिवद्धा। अण्णोण्ण णिस्सिआ उण हवंति सम्मत्तसम्भावा॥ તિથી પેતાના પક્ષમાં પ્રવૃત્ત થયેલા બધા ય નયો મિથ્યાદષ્ટિ છે. પરંતુ તે બધા નયો પરસ્પર જો સાપેક્ષ હોય તો યથાર્થરૂપ બને છે.] [૨૫૧] નાપ્રમi પ્રમાઈ વા સર્વમર્યાવિશેષતમ્ વિશેષિત પ્રમાdi વિતિ સર્વનયજ્ઞતા રૂ ૨ાારૂ I શબ્દાર્થ : નામi ન+મામા=અપ્રમાણ નથી; પ્રમા=પ્રમાણ; વા=અથવા; સર્વમv=બધાંય; વશેષિત =અવિશેષિત હોય, વિશેષરહિત હોય; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514