Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 508
________________ ઉપસંહાર ४४१ તથા પ્રાકૃતમાં; શુટૂિ #િ:=સુંદરવચનરૂપ છીપ; યુત્તિમુર્તા-નાનાં યુક્તિરૂપ મુક્તાફળો (મોતી)ની; ભાષામે=ભાષાનો ભેદ; નૈ=નહિ જ; વેરો—d:=ખેદકારક; ચા=થાય.] અનુવાદઃ ભા–રતિને એટલે પ્રતિભા (ભા) અને પ્રીતિ (રતિ)ને વિસ્તારનારી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં સમાન આગ્રહવાળી (આદરવાળી) તથા યુક્તિરૂપ મુક્તાફળો (મોતી)ની જન્મભૂમિ એવી છીપ જેવી સુંદર ઉક્તિવાળી અમારી ભારતી એટલે કે વાણી છે. તેથી આ ભાષાનો ભેદ (ગુર્જર ભાષા) (વિદ્વાનોને) ખેદકારક નહિ થાય ! (૨) [૨૭૬Jસૂરગીતનયશક્તિવાહનોવાર :વિનોદત: : ! आत्मबोधधृतविभ्रमः श्रीयशोविजयवाचकैरयम् ।।३।। [શબ્દાર્થ પૂરની=સૂરજી નામના શ્રાવક, તન=પુત્ર; શાન્તિવા=શાન્તિદાસ હમ્મોરબત:=હૃદયમાં પ્રમોદ થવાને કારણે; વિનોવત:=વિનોદથી; પ્રસન્નતાથી તઃ કર્યો છે; કાત્મિનોધકૃતવિક્રમ =આત્મબોધ અર્થાત્ આત્મજ્ઞાનની શોભાને ધારણ કરનાર શ્રી યશોવિનયવાવ: શ્રી યશોવિજયે વાચા દ્વારા; યમ–આ.] અનુવાદઃ ઉપાધ્યાય (વાચક) શ્રી યશોવિજયજીએ સૂરજીના પુત્ર શાન્તિદાસના હૃદયમાં પ્રમોદ થવાને માટે આત્મબોધની શોભાને ધારણ કરનાર આ ગ્રંથની પ્રસન્નતા (વિનોદ)થી રચના કરી છે. (૩) વિશેષાર્થ ઉપાધ્યાયજી મહારાજે પોતાના “જ્ઞાનસાર' ગ્રંથ ઉપર પોતે લખેલા ગુજરાતી “બાલાવબોધ'ની સંસ્કૃતમાં લખેલી પ્રશસ્તિમાં કહ્યું છે કે આ બાલાવબોધ નાનું બાળક લાળ ચાટે એવો નીરસ નથી. સાવ નાનું બાળક મોંઢામાંથી લાળ ટપકે તો તે જીભ ફેરવીને ચાટી લેતું હોય છે. એમાં બાળકને રસ પડતો નથી, પણ તે બાળકની એક ટેવ હોય છે. લાળ મોઢામાં હોય તો રસવાળી હોય છે. બહાર નીકળ્યા પછી એમાં નીરસતા હોય છે. તેવી રીતે પોતાનો આ બાલાવબોધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514