Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 480
________________ ૩૧. તપાષ્ટક ૪ ૧૯ ઉપયોગી નીવડે છે. જૈન ધર્મમાં જેવું અને જેટલું આકરું તપ થાય છે એવું દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતું નથી. આમ છતાં તપમાં, ખાસ કરીને બાહ્ય તપમાં સાવધાની રાખવાની બહુ જરૂર છે. ઉપવાસમાં કોઈને ઊલટી થાય, ચક્કર આવે, બેભાન થઈ જવાય, અઠ્ઠાઈમાં કે માસખમણમાં કોઈ મૃત્યુ પામે એવી ઘટનાઓ કોઈક વાર બને છે. વળી તપશ્ચર્યા કરનારના મનમાં ખોટા વિચારો આવ્યા કરે-ક્યારેક હું પારણું કરીશ ? પારણામાં શું શું ખાઈશ ? હવેથી આવું તપ કરવું નથી; સાત ઉપવાસ જ કરવા છે, અઠ્ઠાઈ કરીશ તો લ્હાણી કરવી પડશે;' અઠ્ઠાઈ કરી છે પણ શાતા પૂછવા કોઈ આવ્યા નહિ; મારે પચ્ચખાણ નહોતું લેવું, તો ય પરાણે આપી દેવાયું. ઈત્યાદિ.-આ તો દુર્ગાનના થોડા દાખલા છે. માણસ ઉપવાસ વગેરે કરે અને પછી માથું ભમ્યા કરે એટલે માથે પાટો બાંધીને આખો દિવસ સૂઈ રહે. કષ્ટ પડે માટે તો એને તપ કહે છે. પરંતુ ઇન્દ્રિયોને હાનિ પહોંચે એવું તપ કરવાની અને મન, વચન તથા કાયાના યોગોને હાનિ પહોંચે એવું તપ કરવાની શાસ્ત્રકારો ના પાડે છે. બાહ્ય તપ કરવા સાથે પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ ઇત્યાદિ કર્તવ્યો પણ બરાબર ચાલવાં જોઈએ. શ્રાવક કે સાધુએ દેનિક આવશ્યક કર્તવ્યના ભોગે તપ ન કરવું જોઇએ. તપમાં આનંદોલ્લાસ જળવાઈ રહેવો જોઈએ. તપચિતવણીનો કાઉસગ્ગ એટલા માટે કરાય છે. તપથી ઇન્દ્રિયો સંયમમાં રહેવી જોઈએ. મનમાં સમતા હોવી જોઇએ. ઉપશમના ભાવની વૃદ્ધિ થવી જોઈએ. સ્વરૂપમાં રમણતા થવી જોઈએ. સંક્ષેપમાં, બાહ્ય કે આત્યંતર તપ હોય તો તે વિશુદ્ધ પ્રકારનું થવું જોઈએ. કહ્યું છેઃ सो उ तवो कायव्वो जेण मणो मंगुलं ण चिंतेइ। जेण ण इंदियहाणी जेण य जोगा न हायंति ॥ જિને કારણે મન માઠું ચિંતન ન કરે, જેથી ઇન્દ્રિયોની અને યોગીની હાનિ ન થાય તે તપ કરવા યોગ્ય છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514