SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪.. પંજયંથી અથ [નાનક – ચાલુ) ગુરુનો સંગ કરનારના જન્મ-મરણના ફેરા ટળે; ગુરુનો સંગ કરનારો પ્રભુના દરબારમાં માન પામે. ગુરુનો સંગ કરનારો ખોટા અને ખરા વચ્ચે વિવેક કરી શકે; ગુરુનો સંગ કરનારો સહજ ધ્યાન પ્રાપ્ત કરે. ગુરુનો સંગ કરનારો પ્રભુના ગુણકીર્તનમાં ડૂબી શકે; તેને (સાધના કરવા જતાં સિદ્ધિ અહંકાર વગેરેનાં) નવાં બંધનો ઊભાં ન થાય. [૪૧] [નાન–વી] . "गुरमुखि नामु निरंजन पाए गुरमुखि हउमै सबदि जलाए । गुरमुखि साचेके गुण गाए , गुरमुखि साचै रहे समाए ॥ गुरमुखि साचि नामि पति ऊतम होइ । नानक गुरमुखि सगल भवणकी सोझी होइ" ॥४२॥ અર્થ [નાનક – ચાલુ) “ગુરુનો સંગ કરનાર (પરમાત્માનું) પવિત્ર નામ પામે, અને તેનો જપ કરી અહેપણું બાળી નાખે. ૧. પ્રભુમાં લવલીનતા એ જ ધ્યાન અથવા સમાધિ. રાજયોગની અને હઠયોગની સમાધિ અહંપણું અને સિદ્ધિઓ વગેરેમાં મમતા વધારતી હોવાથી, ગુરુઓ પ્રભુ પ્રત્યે પ્રેમ-ભક્તિ દ્વારા અને પ્રભુ પ્રીત્યર્થે સ્વકર્તવ્યનું પાલન કરવા દ્વારા –ગૃહસ્થાશ્રમમાં જ – પ્રભુમાં જે લવલીનતા પ્રાપ્ત થાય, તેને ‘સહજ’-ધ્યાન કે સમાધિ કહે છે તે ધ્યાન કે સમાધિ જ તેમને માન્ય છે. સરંગને અર્થ સ્વસ્વરૂપમાં સ્થિત – પરમાત્મા – એવો લઈએ, તે આ કડીને અર્થ “પ્રભુમાં લવલીનતા પ્રાપ્ત કરી શકે,’ એવો થાય. ૨. મૂળ દ્રઢ | દરબાર – પ્રભુનો દરબાર, પ્રભુ પોતે. ૩. સિતિ ૪. નિરંગન | ૫. સવ િ ૬. જીવ તરીકેનું પોતાનું જુદાપણું – દ્વતભાવ પરમાત્મા વિરુદ્ધ પિતાનું સત્યપણું-જુદાપણું ઠેકવવું અને કામનાઓ કરવી તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy