Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 172
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ કાચા અને ચેતન ચર્ચા. રાગ ધીરાના પદને, બેલે કાયા શાણી રે, ચેતન તમે ક્યાં વસિયા, મારું મારું માનીરે, માયાવશ કેમ ફેસિયા; ચેતન તું મુસાફર જગમાં, વસિયે મારે ઘેર તું નહિ મારે હું નહિ તારે, મારે શું મન લહેર, ચેત ચેતન જ્ઞાનેરે, અન્તર અનુભવ રસિયા. બેલેટ ૧ ચેતન હવે બેલેરે, વહાલી કાયા શું બોલે, પ્રાણુથકી પ્યારી રે, નહિ કે તુજ તોલે; ખવરાવું પીવરાવું તુજને, નવરાવું બહુ પર, હવા દવાથી તુજને પાછું, વસિયો હારે ઘેર;. જોથી શણગારૂ રે, મારે તું મુંધા મોલે. ચેતન૨ હરતાં ફરતાં તારી ખબરે, લઉ છું વારંવાર. રંગ રસીલી અમરકાયા, તું છે પ્રાણાધાર; બેલ નહિ ખોટું રે, મન મારૂં બહુ ડોલે. ચેતન ૩ કાયા પછી કહેતી રે, ચેતન હુતો નહિ હારી તને હું નથી પરણીને, હજી હું બાલકુંવારી; હું તો જડ છું તું તો ચેતન, જૂદી જાણ સગાઈ હું તે રૂપી તું હિ અરૂપી, સગપણની ન ભલાઈ, તારી ને ત્રણ કાળેરે, કરું નહીં તુજ યારી. ચેતન- ૪ મારી મારી માની ચેતન, કર નહિ મારી સેવ, તારું મારાં લક્ષણ જુદાં, શી પ્રીતિની ટેવ; સમજ ન સાચુંરે, ઉમર તે ફોગટ હારી, કાયા. ૫ ચેતન હવે બેલેરે, કાયાનાં વેણ સંભારી, કાયા છે તું તે ન્યારીરે, વાત હવે નિર્ધારી; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189