________________
આમ,”વિચાર-રૂપી ચમત્કાર” (વિચારથી મળતો પરમ-પદ નો ચમત્કાર) પરમાત્મા-મય છે, માન-પાત્ર છે, અને પરમાનંદના મુખ્ય સાધન-રૂપ છે. તેને ક્ષણ-માત્ર પણ છોડવો જોઈએ નહિ. વિચાર થી શોભી રહેલ “બુદ્ધિ-વાળા” અને વિચારથી “ચાલવાના માર્ગ નો નિર્ણય પામેલા” પુરુષો ને વારંવાર અનેક દુ:ખ-રૂપી ખાડાઓ માં કદી પડવું પડતું નથી.
“અવિચાર” (નહિ વિચારવા)થી “આત્મનાશ” પામેલો અજ્ઞાની મનુષ્ય, જો,પોતાને રોગ કે અનર્થ (દુઃખ) આવે તો રડે છે, પણ વિચારશીલ મનુષ્ય ગમે તેવા અનર્થો આવી ચડે પણ રોતો નથી. આથી મહાત્મા મનુષ્ય,નિરંતર “વિચારયુક્ત” થઇ આત્મ-માર્ગ અપનાવવો જોઈએ.અને પોતાના “મન-રૂપી” મૃગ (હરણ) ને વિચાર દ્વારા,પોતાની મેળે જ દુષ્ટ વિષયોમાં જતું અટકાવવું જોઈએ, અને તેને સંસાર ના “મોહ-રૂપી” સમુદ્રમાંથી તારવું જોઈએ.
“હું કોણ છું?” અને “મને આ સંસાર-રૂપી દોષ શા કારણથી આવ્યો છે?” તેનું. શ્રુતિ-વગેરે-શાસ્ત્રોમાં કહેવા મુજબ જે અવલોકન કરવું-તેને “વિચાર” કહેવામાં આવે છે.
હે રાઘવ,સત્ય વસ્તુના “ગ્રહણ” ની અને મિથ્યા વસ્તુના “ત્યાગ”ની ઈચ્છાવાળા પુરુષો, આ સંસારમાં વિચાર કર્યા વગર,સાચા તત્વ ને જાણી શકતા નથી. વિચાર” થી “તત્વ-જ્ઞાન” (તત્વ-સત્ય નું જ્ઞાન) થાય છે, અને “તત્વ ના જ્ઞાન” થી આત્મામાં વિશ્રાંતિ થાય છે.વિશ્રાંતિ થી મનમાં શાંતિ થાય છે, અને જેથી સઘળાં દુ:ખો નો ક્ષય થાય છે.
પૃથ્વીમાં પુરુષ સાચા વિચારથી જ સઘળાં વૈદિક કર્મોને સફળ કરે છે. અને સાતમી ભૂમિકા સુધી ચડવા-રૂપ, ઉત્તમ પ્રખ્યાતિ પામે છે. માટે તમારે એવા-શમ-વાળા “વિચાર” પર જ (મનથી) રુચિ (રસ-ઈચ્છા) રાખવી.
(૧૫) સંતોષ નું વર્ણન.
વશિષ્ઠ કહે છે કે-હે,શત્રુનાશન રામ, "સંતોષ” પરમ કલ્યાણ-રૂપ છે. અને સંતોષ જ “સુખ” કહેવાય છે.સંતુષ્ટ પુરુષ પરમ વિશ્રામ પામે છે.
“સંતોષ-રૂપી ઐશ્વર્ય” થી સુખિયા (સુખવાળા) થયેલા અને લાંબા કાળથી વિશ્રાંતિ પામેલા ચિત્ત વાળા, પુરુષો ને ચક્રવર્તી રાજ્ય પણ તણખલા જેવું લાગે છે. સંતોષ થી શોભતી” અને સંસારની વિષમ વૃત્તિઓ આવી પડતા પણ ઉગ નહિ પામતી, મહાત્માઓ ની “બુદ્ધિ” કદી સુખ નો વિયોગ પામતી નથી.(તે મહાત્માઓ સદાય સુખમાં રહે છે) તેમને આ પુષ્કળ વૈભવોવાળી લક્ષ્મી (ધન-દોલત) એ ઝેરના જેવી અને પ્રતિકૂળ લાગે છે. સંતોષ જેવું સુખ આપે છે, તેવું સુખ અમૃત ની લહરીઓ પણ આપતી નથી.
જે પુરુષ અપ્રાપ્ત વસ્તુઓની ઈચ્છા કરતો નથી,અને પ્રાપ્ત વસ્તુઓને અપ્રાપ્ત જેવી જ ગણે છે, તેને હર્ષ-શોક –વગેરે બંદો - ની દશા પ્રાપ્ત થતી નથી, અને જેથી,તે “સંતુષ્ટ “ કહેવાય છે.
જ્યાં સુધી મન પોતાની મેળે જ પોતાનામાં જ સંતોષ પામતું નથી, ત્યાં સુધી,એ મન આપદાઓ (વિપત્તિઓ-મુશ્કેલીઓ) ઉત્પન્ન કર્યા કરે છે.પણ સંતોષથી શીતળ થયેલું મન,