Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 189
________________ 189 જેમ, અણુ-અને શુદ્ધ ચૈતન્ય ની સરખામણી કરી છે, પણ ખરું જોતાં તેમ નથી.(૩૯-૪૦) આ અનુભવ-સ્વરૂપ “આત્મ-પ્રદીપ” (આત્મા-રૂપી દીવા) થી સૂર્ય-વગેરે પ્રકાશ પામે છે.એટલે. તે પ્રકાશ ની સ્થિતિ એ “આત્મા” (પરમાત્મા) થી જુદી નથી. કદાપિ તેની સ્થિતિ જુદી માનીએ તો-જડ-પણાને લીધે સૂર્ય વગેરે પ્રકાશ પામતા સર્વ પદાર્થમાંથી કોઈને પણ “પ્રકાશ-પણું” ઘટતું નથી. તેથી તેમને “અપ્રકાશ-રૂપતા” જ પ્રાપ્ત થાય છે. આ દોષ “ચિત્ત-અણુ” માં સંભવતો નથી, કારણકે તે “પ્રમાણ” થી સ્વયં-પ્રકાશ સિદ્ધ થાય છે. (સિદ્ધ થયેલો છે) ચિત્ત-અણુ” અને સૂર્ય-વગેરેમાં એટલોજ ભેદ છે કે તેમનો વર્ણ અનુક્રમે “ઉજ્જવળતા” અને “શ્યામતા” સાથે સંબંધ રાખે છે.સુર્યના વર્ણ ને “યામતા” સાથે સંબંધ કહેવાનું કારણ એ છે કે-પ્રકાશ વિના તે અંધકાર-રૂપ છે,કે જે અંધકાર પણ જડ છે.અંધકાર અને પ્રકાશ ની એકતા માં ચૈતન્ય-રૂપ “કારણ” ની એકતા એ “હેતુ” છે. આ જગ-પ્રસિદ્ધ સૂર્ય નો પ્રકાશ દિવસે હોય છે ને રાત્રિએ હોતો નથી,વળી તે બહારની વસ્તુઓનો પ્રકાશ કરે છે, પણ શરીરના અંદર રહેલ પદાર્થ નો પ્રકાશ કરતો નથી.ત્યારે“ચૈતન્ય-રૂપી-સૂર્ય” તો રાતે કે દિવસે,બહાર કે અંદર સર્વ ઠેકાણે અસ્ત-ઉદય થી રહિત પ્રકાશી રહેલ છે. આ "ચિત્ત-પ્રકાશ" થી જ પ્રકાશેલી,અને અનેક પદાર્થથી ભરેલી “બ્રહ્માંડ-રૂપી-ઝૂંપડીમાં જીવાત્મા પોતાને જોવા-રૂપ પદાર્થ ને જોઈ શકે છે.આ "ચિત્ત-પ્રકાશ" સ્વતંત્રપણાથી તથા અવિદ્યામાં મળીને સર્વનો પ્રકાશ કરે છે.જેવી રીતે સૂર્ય રાત્રિ અને દિવસ-રૂપે પોતાના આત્માને પ્રકાશે છે, તેવી રીતે "ચિત્ત-પ્રકાશ" સત તથા અસત (જીવ અને દેહ-રૂપે)પોતાના સ્વરૂપે પ્રકાશે છે. (૪૧) જેમ,વૃક્ષના પુષ્પ-ફળ- વગેરે અવયવ માંથી ભ્રમરે ગ્રહણ કરેલા સઘળા રસ તે ભ્રમરમાં રહેલા છે, તેમ, "ચિત્ત-અણુ" ના ઉદરમાં અખિલ અનુભવના અણુ રહેલા છે. જેમ,વસંત-ઋતુના પ્રભાવથી,સર્વ વનનાં વૃક્ષોમાં અંકુર-આદિ-અવયવો સ્વભાવથી પેદા થાય છે, તેમ,અખિલ "અનુભવ ના અવયવો" આ "ચિત્ત-અણુ" થી જ ઉત્પન્ન થાય છે. (૪૨) અત્યંત સૂક્ષ્મ-પણાને લીધે ઇન્દ્રિયો થી આસ્વાદ ન કરી શકાય એવો ચિત્ત-અણુ –એ અખિલ સ્વાદિષ્ટ પદાર્થ ના ‘સ્વાદ ને સત્તા” આપે છે.જેમ,અરીસા વિના પ્રતિબિંબ ની સત્તા નથી, તેમ સમરસ ચિત્ત-અણુ ના સંબંધ વિના ઝાડ કે ઝાડના ફળ વગેરે પદાર્થમાં રહેલા "સ્વાદમાં સત્તા" નથી. (૪૩). વિવર્ત-કારણતાને લીધે પોતાનો આશ્રય કરનાર, અને સર્વ જગતનો સ્વરૂપ થી ત્યાગ કરનાર એ ચિત્ત અણુએ પોતાના “અફૂરણા” પણાથી સર્વ નો ત્યાગ કર્યો છે, અને "ફૂરણા" થી સર્વ નો આશ્રય કર્યો છે (૪૪) પોતાને ઢાંકવા ને અસમર્થ એવા ચિત્ત-પરમાણુએ –પોતાની અણુતા ને ચંદરવા ની પેઠે વિસ્તારીને આખા જગતને ઢાંકી દીધું છે.જેમ જે વનમાં ખાલી ધરો અને ઘાસ જ હોય તેવા વનમાં હાથી પોતાને ઢાંકી શકાતો નથી, તેમ આકાશ ની ઉપમા વાળો,આત્મા એક ક્ષણ પણ પોતાને ઢાંકવાને સમર્થ નથી. આમ છતાં મનુષ્યને તે જણાતો નથી, અને જો જણાય તો તે મનુષ્યને જન્મ-મરણમાં થી મુક્ત કરે છે.(૪૫) જેમ,વૃક્ષમાં વિશેષ આકારથી (સામાન્ય રીતે) ના દેખાતા અંકુરો –વસંત-ઋતુમાં પાછા દેખાય છે, તેમ,પ્રલય-કાળમાં વિશેષ આકારથી નાશ પામેલું જગત-એ ચૈતન્યનો આશ્રય કરી, ફરી પાછું વિશેષ આકાર ને પામે છે. જો કે ચૈતન્ય નો આશ્રય તો જગત ને સૃષ્ટિ કાળ અને પ્રલયકાળ માં પણ છે.છતાં પણ, જેમ વસંત-ઋતુ માં વનમાં જેમ વિચિત્ર રીતે ઝાડ-પાન-વેલા-વગેરે ફૂટી નીકળે છે, તેમ,જગત નો આકાર સૃષ્ટિકાળ માં દેખાય છે.(પ્રલય કાળમાં નહિ-પ્રલય કાળ નો “વિશેષ આકાર” છે!!)

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255