Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 225
________________ 225 હે રામ, જેમ બાળક ભીના કાદવમાંથી વિચિત્ર રમકડાં રચે છે તેમ,મન પોતાના વિકલ્પ થી જગત રચે છે. વળી.જેમ,તે,બાળક જે રમકડા રચે છે તે મિથ્યા છે, તેમ મનથી કલ્પિત જગત પણ મિથ્યા છે. જેવી રીતે ઋતુ નો ફેરફાર કરનાર કાળ (સમય) કોઈ સમયે વૃક્ષ નું અન્યથા(બીજું) રૂપ કરે છે, તેવી રીતે,ચિત્ત -પણ-પદાર્થ માં અન્યથા-પણું (જુદા-પણું) કરે છે. ચિત્તના મનોરથમાં (સંકલ્પમાં) ઘણા યોજનનો સમૂહ પણ ગાયના પગલા જેટલો અલ્પ જણાય છે. તે મન કોઈ સમયે કલ્પ ને ક્ષણ જેવો તો કોઈ સમયે ક્ષણને કલ્પ જેટલો કરે છે. તેથી દેશ (સ્થળ) અને કાળ (સમય) પણ મન ને આધીન છે. તીવ્ર-પણું,મંદ-પણું,બહુ-પણું અને અલ્પ-પણુ-વગેરે ભેદના લીધેમનની સર્વ શક્તિનો ત્યાગ કરવા કોઈ સમર્થ નથી. જેમ વૃક્ષમાંથી પાન ઉત્પન્ન થાય છે, તેમ,મોહ,ભ્રમ, અનર્થ, દેશ અને કાળ-એ સર્વ ચિત્તમાંથી જ ઉત્પન્ન થાય છે. જેવી રીતે જળ એ જ સમુદ્ર છે અને ઉષ્ણતા એ જ અગ્નિ છે, તેવી રીતે,ચિત્ત એ જ વિવિધ આડંબર-વાળો સંસાર છે. કર્તા-કર્મ-કરણ, ભોક્તા-ભોગ્ય-ભોગ, દ્રષ્ટા-દ્રય-દર્શન-એ નવ પ્રકારનો સંસાર ચિત્ત-રૂપ જ છે. જેમ,સુવર્ણ ની પરીક્ષા કરનાર મનુષ્ય આભૂષણોના આકાર ને જોયા વિના તે સુવર્ણ જ છે,એમ જાણે છે, તેમ,વિવેકી મનુષ્ય જગતમાં રહેલ ભુવન તથા વન ની વિચિત્રતા ને ત્યાગ કરીને, તે સર્વ (જગત અને તેમાંની વસ્તુ) ચિત્ત-રૂપ જ છે તેમ જાણે છે. (૧૦૪) લવણાખ્યાન-ઇંદ્રજાળથી લવણ-રાજાની થયેલ સ્થિતિ વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જગત-રૂપી ઇન્દ્રજાળની શોભા કેવી રીતે મન ને આધીન છે, તે માટે નું એક વૃતાંત (વાત કે ઉદાહરણ) તમને કહુ છું તે તમે સાંભળો. આ પૃથ્વી પર અનેક પ્રકારનાં વનો થી યુક્ત એવો “ઉત્તર-પાંડવ” નામનો એક દેશ હતો આ અત્યંત શોભિતા દેશમાં પરમ ધર્મવાળો અને હરિશ્ચંદ્રરાજા ના કુળમાં પેદા થયેલ “લવણ” નામનો રાજા હતો.તેને પોતાના ખડગ ના બળે શત્રુઓ નો નાશ કર્યો હતો,અને પ્રજાનું પાલન કરવામાં ઉદાર હતો. તેની ઉદારતા અસાધારણ હતી.કપટ ને તે જાણતો જ નહોતો,અને અવિનય-પણું તો તેને જોયું જ નહોતું. એક વખતે તે પોતાની સભા ભરીને સિંહાસન પર બિરાજ્યો હતો, તે વખતે, જેમ મેઘ વરસાદ વરસાવવા મોટા મોટા ડોળ (ગર્જના-વગેરે) થી પૃથ્વી પર પ્રવેશ કરે છે, તેમ,એક ઇન્દ્રજાળ કરનાર (જાદુગર જેવો) મોટા વેશ,અલંકાર વગેરે ને ધારણ કરીને સભામાં આવ્યો. અને રાજાને પ્રણામ કરીને રાજાની પાસે આવીને તેને કહ્યું કે-હે, રાજન,જેમ,આકાશમાંનો ચંદ્ર પૃથ્વીને જુએ, તેવી રીતે હું તમને એક મિથ્યા રમત બતાવું તે તમે તમારા આસન પર બેઠા બેઠા જુઓ. આ પ્રમાણે કહીને તે ઈન્દ્રજાળ કરનાર મનુષ્ય -મ ઉત્પન્ન કરનાર મોર-પીંછ ની મુઠ ફેરવી. ત્યારે થોડીવારમાં તો,જેમ,તારાથી શોભતા આકાશમાં મેઘ ચડી આવે તેમ,તે સભામાં અશ્વ નું પાલન કરનાર,એક માણસ આવ્યો. અને તેની સાથે જ એક સૌમ્ય અને અતિ-વેગ-વાળો ઘોડો તેને અનુસરીને આવ્યો. તે ઘોડાની લગામ હાથમાં પકડીને તેના પાલન કરનાર મનુષ્ય કહ્યું કેહે મહીપતિ,આ ઘોડો ઉઐશ્રવા ઘોડાની જેમ,રત્નરૂપ છે.અને વેગ થી ચાલવામાં મૂર્તિમંત પવન-રૂપ છે.

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255