Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 241
________________ 241 અવિદ્યા નો અત્યંત અભાવ છે છતાં, સર્વ જગત તેનાથી વશ થઇ ગયું છે! અવિદ્યા વડે,અસતું છતાં સત ની પેઠે રહેલું,આ સંસારનું દુ:ખ એ તૃણ-સમાન છે,છતાં વજૂ જેવું જણાય છે. હે, પ્રભુ,સંસાર ના કારણભૂત એવી-તે- માયાનું સ્વરૂપ કેવું છે? તે કૃપા કરીને મને બોધ થાય એ માટે તમે કહો, વળી,લવણ-રાજાને ચંડાળ-અવસ્થાનું દુઃખ ભોગવવું પડ્યું તેનું કારણ મને કહો. દેહ અને દેહધારી એ બંને પરસ્પર સાથે જ રહેલા છે,તે બેમાંથી શુભ અને અશુભ કર્મ-ફળનો ભોક્તા કોણ છે? વળી,તે, દુ:ખદાયી,ચંચળ અને ભારે આપત્તિ આપનાર,ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય કોણ હતો? વશિષ્ઠ કહે છે કે-જે દેહને લાકડું કે ભીંત ની ઉપમા આપવામાં આવે છે-તે વાસ્તવિક રીતે છે જ નહિ, પણ સ્વપ્નની પેઠે ચિત્તે તેને કલ્પેલો છે. જીવ-પણાને પામેલ તે ચંચળ ચિત્તને આ સંસાર નો "આડંબર" જાણવો. અનેક આકારથી (ચિત્ત-રૂપી) જીવ ને ધારણ કરનાર દેહધારી,કર્મ-ફળ ને ભોગવનારો છે. અને તે દેહધારીનું,"અહંકાર-મન-કે જીવ" એવું નામ પડે છે. જેણે, અનેક પ્રકારની,સંજ્ઞા થી કલ્પના કલ્પેલી છે, તે અજ્ઞાની મન વિચિત્ર વૃત્તિ ને અનુસરી ને વિચિત્ર આકૃતિ-પણા ને પામે છે. જ્યાં સુધી મન અજ્ઞાની છે ત્યાં સુધી,તે મન નિદ્રા-વાળું ગણાય છે, તેથી તે સ્વપ્નમાં સંભ્રમ જુએ છે પણ જાગૃત થયા પછી તે સંભ્રમ ને જોતું નથી. અજ્ઞાન-રૂપી નિંદ્રાથી ક્ષોભ પામેલા જીવને જ્યાં સુધી બોધ થયો નથી, ત્યાં સુધી તે (જીવ) દુઃખ થી પણ ભેદન ના થાય તેવા સંસારના આરંભ ને (નિંદ્રામાં સ્વપ્ન ની જેમ) જુએ છે, પણ, જ્ઞાન થી જાગૃત થયેલા મન નો સર્વ અંધકાર લય પામે છે. "ચિત્ત,અવિદ્યા,મન,જીવ,વાસના તથા કર્માત્મા" એવા નામથી કહેવાતો,"દેહધારી" એ "દુઃખ નો ભોક્તા" છે. દેહ તો જડ છે,તે દુઃખ ભોગવવાને યોગ્ય નથી,પણ દેહધારી જ અવિચારથી,દુઃખ ભોગવે છે. ગાઢ અજ્ઞાન થી અવિચાર થાય છે, અને અજ્ઞાન જ દુઃખ નું કારણ છે. જીવ,એક “અવિવેક-રૂપી” દોષ થી શુભ-અશુભ એવા વિષય-પણાને પામેલો છે. અવિવેક-રૂપી રોગ થી બંધાયેલું તથા વિવિધ પ્રકારની વૃત્તિ-વાળું મન - અનેક પ્રકારના "આકારના વિહાર" વડે, ચક્રની પેઠે ભમ્યા કરે છે. આ શરીરમાં રહેલું મન,ઉદય પામે છે, રાડો પાડે છે,હિંસા કરે છે, નાચે છે,નિંદા કરે છે, અને અહીં-તહીં દોડ્યા કરે છે-પણ તેને શરીર કંઈ કરી (રોકી) શકતું નથી,કે કંઈ કરતુ પણ નથી. જેવી રીતે ઘરનો માલિક, એ ઘરમાં વિવિધ પ્રકારનાં કામો કરે છે, પણ તે જડ ઘર કશું કરતું નથી, તેવી રીતે દેહમાં રહેલો (ચિત્ત-રૂપી) જીવ જ સંસારમાં ચેષ્ટાઓ કરે છે, જડ દેહ કંઈ કરતો નથી. સર્વ પ્રકારનાં સુખ દુઃખ અને સર્વ પ્રકારની કલ્પનાઓમાં મન છે- તે મન જ કર્તા છે.અને મન જ ભોક્તા છે. આ પ્રમાણે માનવ-માત્ર એ મનથી થયેલો છે,એમ તમે સમજો. વશિષ્ઠ કહે છે કે-લવણ રાજાને મન ના ભ્રમ થી ચંડાળ-પણું કેવી રીતે પ્રાપ્ત થયું હતું, તે વિષે હું તેમનું તમને એક ઉત્તમ વૃતાંત કહું છું તે તમે સાંભળો. લવણ-રાજા એ હરિશ્ચન્દ્ર ના કુળમાં જન્મ્યા હતા. એક દિવસ તેમણે એકાંત માં એવો વિચાર કર્યો કેમારા દાદાએ મોટો રાજસૂય યજ્ઞ કર્યો હતો અને હું પણ તેમના કુળમાં જન્મેલો છું,માટે, હું પણ “માનસિક-યજ્ઞ” કરું.આમ વિચારી તેણે માનસિક રાજસૂય યજ્ઞ કર્યો

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255