Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 235
________________ 235 મન નો લય થવાથી દુ:ખ ની શાંતિ થાય છે, અને મન નું મનન કરવાથી દુઃખ ની પ્રાપ્તિ થાય છે. ચિત્ત-રૂપી રાક્ષસ જયારે ઉત્પન્ન થાય છે, ત્યારે તે દુ:ખ પેદા કરે છે માટે તેને પ્રયત્નથી પાડી નાખો. હે રામ,જે મન ની ચંચળતા છે તેને જ વાસના-રૂપી અવિદ્યા કહે છે. માટે તેનો વિચાર કરીને નાશ કરો. બાહ્ય વિષય ના અનુસંધાન નો ત્યાગ કરવાથી,જયારે અંતરમાં થી અવિદ્યા-રૂપી વાસનાનો (કે જે વાસના મન ની સત્તા હેઠળ છે) લય થાય છે ત્યારે,પરમ-કલ્યાણ ની પ્રાપ્તિ થાય છે. હે,રામ,સત-અસત્ કે ચૈતન-જડ,એના અનુસંધાન માં જે મધ્ય ભાગ છે તે મન છે. ની વૃદ્ધિ ને લી જડ,વસ્તુના અનુસંધાન થી,હણાયેલું (ઘવાયેલું) મન, (પોતાનામાં) જડપણા ની વૃદ્ધિ ને લીધે, અને તે જડપણા ના દૃઢ અભ્યાસને લીધે-જડપણા ને પામે છે.(એટલે અહીં મન=જડ ગણાય છે) જયારે તે જ મન વિવેકના અનુસંધાનથી પોતાનામાં રહેલા ચૈતન્યના અંશ ને લીધે, અને ચૈતન્ય ના દૃઢ અભ્યાસને લીધે ચૈતન્ય-પણાને પામે છે. (એટલે અહીં મન=ચેતન ગણાય છે) એટલે અહી નામાં રહેલા પુરુષાર્થ ના પ્રયત્ન થી,મન જે વસ્તુમાં પડે છે તે વસ્તુ (જડ કે ચૈતન્ય) ને પામે છે.અને તે જ મન,અભ્યાસ થી તે વસ્તુ-રૂપ (જડ-કે ચૈતન્ય) જ થાય છે. માટે,ફરીથી,પુરુષાર્થ નો આશ્રય કરીને મન વડે જ મન ને દબાવીને, શોક-રહિત પદ નો આશ્રય કરીને, તમે કોઈ પણ જાતની “શંકા” નો ત્યાગ કરીને સ્થિર થઈને રહો. હે.રામ,મન ની ભાવના વડે જ મન ને મગ્ન કરો.એથી જ બળ-પૂર્વક તરી જવાય છે.અને આ એક જ ઉપાય છે-બીજો કોઈ ઉપાય નથી. મન નો દૃઢ નિગ્રહ કરવામાં મન જ સમર્થ છે.કારણકે જે પોતે રાજા નથી તે બીજા રાજાને શિક્ષા કેમ કરી શકે? સંસાર-રૂપી સમુદ્રના વેગમાં,તણાઈ જતાં,તૃષ્ણા-રૂપી મનુષ્યો ના ઝુંડ ને તરવા માટે મન એ જ વહાણ-રૂપ છે.જે મનુષ્ય મન વડે જ મન-રૂપી પાશ (દોરડાનું બંધન) ને કાપી નાખીને પોતાના આત્માને મુક્ત કરતો નથી, તેનો બીજા કોઈ ઉપાય થી મોક્ષ થતો નથી. સંસારિક વિષય થી યુક્ત,મન-રૂપી જે જે વાસનાનો ઉદય થાય છે, તેનો વિદ્વાનો ત્યાગ કરે છે, અને જેથી અવિદ્યા (અજ્ઞાન-કે માયા) નો ક્ષય થાય છે. માટે પ્રથમ,મન ની વાસના નો ક્ષય કરો,પછી ભેદ (સંકલ્પ-વિકલ્પ-વગેરે)ની વાસનાનો અને ત્યાર પછી,ભાવ-અભાવ ની વાસના નો ત્યાગ કરી,નિર્વિકલ્પ-સુખ ને સંપાદન કરો. ભાવના-માત્ર નું અભાવ-પણું (ભાવ (આસક્તિ-વગેરે) નું ના થવા-પણું) એ જ વાસના નો ક્ષય છે. અને તેને જ મન નો કે અવિદ્યા નો નાશ કહે છે. સંસારિક પદાર્થ નું જ્ઞાન રાખવું અને તેની ઈચ્છા કરવી,તેના કરતાં, સંસારિક પદાર્થ નું જ્ઞાન ના રાખવું અને તેની ઈચ્છા ના કરવી-એ વધારે સારું છે. કારણકે-ઈચ્છા કરવા થી દુઃખ ઉત્પન્ન થાય છે અને ઈચ્છા નહિ કરવા થી સુખ ઉત્પન્ન થાય છે. એટલા માટે પ્રયત્ન વડે પ્રત્યેક પુરુષે,”ભાવ” નું અભાવન કરવું (વાસનાનો ત્યાગ કરવો). અને સંસાર સંબંધી જ્ઞાન (વેદ્ય) નું અવેધન કરવું (અવિદ્યા નો ત્યાગ કરવો) હે, રામ,તમારા મન માં જે જે ઇચ્છિત રાગ (આસક્તિ) રહેલો છે, તે તે સર્વ અનર્થો ના કારણભૂત છે, એમ જાણી ને તમે તેના “અંકુર” નો પણ ત્યાગ કરો. એટલે આત્મા ના અનુભવથી તૃપ્ત થયેલા તમે હર્ષ-શોક ને પ્રાપ્ત થશો નહિ.

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255