Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 239
________________ 239 સંસાર-રૂપી,બંધનમાં નાખનારી અવિદ્યા,એ “સંકલ્પ-વિકલ્પ” ની જાળ માત્ર છે, તે અસત્ય છે છતાં અજ્ઞાની મનુષ્ય તે સત્ય હોય તેવી કલ્પના કરે છે અને તેને દૃઢપણે વળગી રહે છે. બાકી –હકીકતમાં તો તે ચપળ અવિદ્યા એ કશું જ સુખ આપનારી નથી. “હું નિર્બળ છું, હું દુઃખી છું,હું હાથ-પગથી યુક્ત શરીર છું”એવી રીતની ભાવનાના વ્યવહારથી "બંધન" થાય છે. જયારે,"હું બળવાન છું,હું દુઃખી નથી,મારે દેહ નથી કે મારે બંધન નથી” એવી રીતની ભાવનાના વ્યવહારથી "મુક્ત" થવાય છે, "હું દેહથી પર છું” એવો જેને નિશ્ચય થાય છે, તેની અવિદ્યા ક્ષીણ થાય છે એમ કહેવાય છે. જેમ,આકાશ ની શ્યામતા (કાળાશ) તે વાસ્તવિક રીતે હોતી નથી –તેમ છતાં,અજ્ઞાની મનુષ્યો તે આકાશમાં રયામતા ની કલ્પના કરે છે, પણ જ્ઞાની મનુષ્યો તેવી (અવિદ્યાની) કલ્પના કરતા નથી. રામ કહે છે કે-હે,બ્રહ્મન,જે આ આકાશ ની ૨યામતા જોવામાં આવે છે તે શાથી થયેલી છે? તે કહો. વશિષ્ઠ કહે છે કે-આકાશ શૂન્ય છે, અને તેના શૂન્ય ના ગુણ ની પેઠે,તેમાં રહેલી શ્યામતા વાસ્તવિક રીતે નથી.(શૂન્ય માં કંઈ રહી શકે નહિ હોઈ શકે નહિ-કે તેનો કોઈ રંગ પણ હોઈ શકે નહિ) જયારે મનુષ્ય ની દૃષ્ટિ પહોંચતી નથી, ત્યારે નેત્રમાંથી અંધકાર જ ઉત્પન્ન થાય છે. અને તે અંધકાર એ આકાશમાં ૨યામતા-રૂપે દેખાય છે. આકાશના વર્ણ (યામતા)ની પેઠે,ઉત્પન્ન થયેલા–જગત-રૂપી ભ્રમ નું સ્મરણ ના કરવું તે જ વધારે સારું છે. જેવી રીતે, “મારો નાશ થયો છે” એવા સંકલ્પથી થયેલા દુ:ખ થી મનુષ્ય નો નાશ થાય છે, જયારે,“હું જાગ્રત છું” એવા સંકલ્પ થી સુખ ની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે મૂઢ-પણા ના સંકલ્પ થી મન મૂઢ-પણાને પામે છે,ને જ્ઞાન ના સંકલ્પ થી જ્ઞાન-પણાને પામે છે. એ જ પ્રમાણે અવિદ્યાનું સ્મરણ કરવાથી તેનો ઉદય થાય છે પણ તે નાશવંત હોવાથી,તેનું વિસ્મરણ કરવામાં આવે તો તેનો નાશ થાય છે. તે અવિદ્યા સર્વ “ભાવ” ને ઉત્પન્ન કરનારી છે, અને સર્વ પ્રાણી ને મોહ કરનારી છે પણ,આત્મ-સ્વરૂપ ની પ્રાપ્તિ થવાથી તેનો નાશ થાય છે. જેવી રીતે રાજાની આજ્ઞા નો તેના સર્વ કારભારીઓ અંગીકાર (સ્વીકાર) કરે છે, તેમ મન જેવી ઈચ્છા કરે છે તે પ્રમાણે બીજી સર્વ ઇન્દ્રિયો પ્રવર્તે છે. એટલા માટે જે મનુષ્ય અંતઃકરણ માં બ્રહ્મ-ભાવના રાખી પોતાના મનથી–વિષયો માં કોઈ પણ અનુસંધાન કરતાં નથી, તે શાંતિ ને પામે છે. આ જગત પ્રથમ (ભૂતકાળમાં) નહોતું,ને વર્તમાન કાળમાં પણ નથી, અને જે પ્રતીત થાય છે તે – નિર્વિકાર બ્રહ્મ જ છે.માટે મનન કરવા યોગ્ય–બ્રહ્મ સિવાય-બીજા કોઈ પદાર્થ જ નથી. માટે પરમ પુરુષાર્થનો આશ્રય કરીને તમે પરમ બુદ્ધિથી, ચિત્તમાંથી ભોગ (આસક્તિ) તથા આશા ની ભાવના ને જડ-મૂળ થી ઉખેડી નાખો. હજારો આશાના પાશ થી,ઉદય પામનાર તથા જરા-મરણ ના કારણ-રૂપ એવો જે “મોહ” થાય છેતે માત્ર વાસનાથી જ ઉત્પન્ન થાય છે. “હું અને મારું મારું ઘર,મારું ધન,મારી સ્ત્રી,મારા બાળકો” એ પ્રમાણે ઇન્દ્રજાળ ની રચનાથી "વાસના" જ નાચ્યા કરે છે. એ વાસના એ જ શૂન્ય શરીરમાં અહંકારથી કલ્પનાઓ કરી છે,

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255