________________
આ રીતે "પર-બ્રહ્મ" થી જ જરા પણ વિકાર પામ્યા વગર-આ "
મિથ્યા-જગત-રૂપી જાળ" ઉદય પામે છે. અને તે પ્રકાશવાથી" (સ્કરણથી જાણે-કે-જુદી-જુદી સત્તા-વાળી હોય એમ દેખાય છે. "અહંકાર" ના ઉદય ને અનુસરી ને ભાસનાર એ "બ્રહ્મ-તત્વ" તે - "સંકલ્પાત્મક-જગત-રૂપી વક્ષ" ના "બીજ-રૂપ" છે.
(૬) ---તે પછી "અહંકાર" ના "એક-દેશ-સમાન" અને "ચલન-શક્તિ" વાળો "વાય"ઉદય પામે છે. "અહંકાર વાળી એ જ બ્રહ્મ-સત્તા " એ-"આકાશ ની તન્માત્રા-રૂપ શબ્દ" ની ભાવનાને લીધેઆકાશ કરતાં કંઈ ઘાટી થાય છે અને "શબ્દ-રૂપે" પ્રતીત થાય છે. અને એ "શબ્દ" એ ભવિષ્ય ના પદાર્થો (વેદ) નો "વાચક" થાય છે. કે જે "શબ્દ-સમૂહ" ના વૃક્ષના બીજ-રૂપ છે, અને "વેદ-રૂપે" પ્રકાશ પામે છે.અને તે વેદનાં "પદો-વાક્યો-પ્રમાણો" એ નામથી ઓળખાય છે.
આ રીતે "વેદ-રૂપ-પણા" ને પામેલા "બ્રહ્મ-તત્વ" માં થી સઘળું જગત ઉત્પન્ન થાય છે. જે જે શબ્દો નો ઉદય થાય-તે તે શબ્દો ના વાચ્ય (વાંચન-પ્રમાણે) પદાર્થો-રૂપે - એ જ (પદાર્થ-રૂપી) તત્વ પ્રતીત થાય છે.
(૭)---એક જાતના વાયુ-રૂપ "પ્રાણ" (પ્રાણ-વાયુ) ને ધારણ કરવાથી - એ "બ્રહ્મ-સતા" (પરમ-સત્તા)."જીવ" કહેવાય છે.અને --ભવિષ્યમાં અનેક-રૂપ-વાળા જુદાજુદા "દેહો" ના લાભ થી"જીવ"ના વ્યષ્ટિ (વિશાળ) પણાથી-જીવના અનેક "સમહો" પેદા થાય છે. અને તેને --ભવિષ્યમાં "ચૌદ-બ્રહ્માંડોમાં રહે છે, એટલે તેમના (તે જીવોના) ચૌદ પ્રકારો છે.
આ રીતે "પ્રાણ-વાયુ" સાથે સંબંધ ધરાવનારા એ (ચૌદ-પ્રકારના) "જીવો" -એ"ચૈતન્ય" માંથી નીકળી) "બ્રહ્માંડો-રૂપી" ખાડાઓ માં પડે છે.
(૮)---જેમાં પ્રથમ "નામ-કે-ગતિ" એવું કંઈ જ હોતું નથીએવું એક "ચૈતન્ય" તરત જ "પ્રકાશ" પામીને--ક્ષણમાં ભાવનાથી "સ્પર્શ-રૂપ થાય છે.અને આ "સ્પર્શે ના સમૂહ-રૂપી-વૃક્ષ" ના "બીજ-રૂપ" એ "ચૈતન્ય" પવનો (આવહ-પ્રવહ-વગેરે) રૂપ થાય છે. અને આ "પવનો-રૂ૫" બનેલા "ચૈતન્ય" માંથી - સર્વ પ્રાણીઓ (જીવો) ની "ક્રિયા-૩પ-ગતિ" (કર્મો) ચારે તરફ વિસ્તાર પામે છે.
(૯)--- એ જ "ચૈતન્ય" માં "પ્રકાશ" ની ભાવનાને લીધે-"પ્રકાશ" (તેજી નો અનુભવ થાય છે. અને તે "તેજ" માં ભવિષ્યના "રૂપ" અને "સમષ્ટિ-ભૂત-રૂપ" નો અનુભવ થાય છે. આ "રૂપ" માંથી જ-"સુર્ય-અનિ" -વગેરે "વ્યષ્ટિ (વિશાળ)-રૂપો" (તેજ) ઉત્પન્ન થાય છે. અને આ જુદાજુદા "વ્યષ્ટિ-રૂપો" ના ભેદ થી સંસાર ફેલાય છે.
(૧૦)---એ જ "ચૈતન્ય" પોતે "હું જળ ના રસ ના સમુદાય-રૂપ છું" એવી ભાવના ને લીધે "રસ-રૂપ" થઇ જાય છે. રસ-ના સમુદાય-રૂપ અમુક પદાર્થ નો સ્વાદ લેતાં જે પ્રતીતિ થાય છે-તેનું નામ "રસ-તન્માત્રા" પરસ્પર સ્વાદો ની વૃદ્ધિ થતા સંસાર આગળ વિસ્તરે છે. (૧૧)---એ જ "ચૈતન્ય" પોતે જયારે "હું પૃથ્વી છું" એવો સંકલ્પ કરે છે-ત્યારે એવી ભાવનાને લીધે-તે ભવિષ્ય ના "પુથ્વી" ના વિભાગો ને યોગ્ય થઈ જાય છે.