Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 15
________________ 8 ઉધઈને ઓળખો) 38. (૧) ઉધઈ એક સૂક્ષ્મ જીવાત છે. અવાવરૂ જમીનમાં, દિવાલો પર, ફર્નિચરમાં તથા પુસ્તકો અને કાગળમાં થાય છે. એકવાર ઉધઈ થયા પછી તેની ઉત્પત્તિ ખૂબ વધી જાય છે અને તેનું ક્ષેત્ર ખૂબ વિસ્તાર પામે છે. ઉધઈ ફર્નિચર તથા કાગળોને કોતરી ખાય છે. દિવાલને પણ કોતરી ખાય છે અને મકાનને જર્જરિત બનાવી દે છે. ઉધઈ થયા પહેલા કે પછી પેસ્ટ કંટ્રોલ કરાવવાથી ઉધઈ તથા અન્ય જીવાતો એક સાથે નાશ પામી જાય છે. પેસ્ટ કંટ્રોલ અત્યંત હિંસક ઉપાય છે. સેંકડો હજારો નિર્દોષ જીવોને દવા છાંટીને એકસાથે મોતને ઘાટ ઉતારી દેવા તે ભયંકર ક્રૂરતા છે. (૩) ઉધઈ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં આજુબાજુમાં લીટી જેવી નિશાની લઈ જાય (૪) પ્લાયવુડમાં ઉધઈ થવાની શક્યતા વધુ છે. સાગના લાકડામાં ઉધઈ જલ્દી થતી નથી. 88 ( ઉધઈની રક્ષા કરો.) 9 ૧) કબાટમાં ભરેલા પુસ્તકો થોડા થોડા સમયે બહાર કાઢી બરાબર જોતા રહેવું, પુસ્તકો તથા કબાટની જયણાપૂર્વક સાફસૂફી કરવી. ૨) પુસ્તકોના કબાટમાં ઘોડાવજ કે ડામરની ગોળી જેવા પદાર્થો રાખી મૂકવાથી ઊધઈ વગેરે જીવાતની ઉત્પત્તિ થતી નથી. ૩) કપડાના કબાટમાં પણ ડામરની ગોળી જેવી ચીજ રાખી મૂકવાથી કપડામાં જીવાત પડતી નથી. ૪) નવું મકાન બનાવતી વખતે સ્લેબ ઉપર લાદી જડતા પહેલાં ડામરના રસનું પતલું પડ પાથરી દેવાથી મકાનમાં ઉધઈ થતી નથી. ૫) પુસ્તક, ફર્નીચર કે દિવાલ ઉપર ઉધઈ થઈ જાય તો તે જીવોને ખૂબ જયણાપૂર્વક ત્યાંથી લઈ દૂર કોઈ વૃક્ષમાં મૂકી દેવી. જે જગ્યા પર ઉધઈ થઈ હતી તે જગ્યા સંપૂર્ણ જીવાત-રહિત થઈ ગઈ છે તેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ તે જગ્યા પર કેરોસીન નીતરતું પોતું ફેરવી દેવાથી ફરીથી ઉધઈ આવશે નહિ. ૬) ગેરુ કે ચૂનાથી મકાન ધોળવાથી પ્રાયઃ ઉધઈ થતી નથી. = ૧૪ કે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34