________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૨૧
કરીને સ્વભાવને પકડે તો ભેદવિજ્ઞાન થાય. ૫૯.
અનાદિકાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો ભમતો, સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો, અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. કોઈ વાર તેને સાચું સુખ દેખાડનાર મળ્યા તો શંકા રાખીને અટકયો, કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતાં અટકયો, કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના અટકયો, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો ને પડ્યો. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતાં અનંત વાર અટકયો. પુણ્યોદયે આ દેહ પામ્યો, આ દશા પામ્યો, આવા પુરુષ મળ્યા; હવે જો પુરુષાર્થ નહિ કરે તો કયા ભવે કરશે? હે જીવ! પુરુષાર્થ કર; આવી જોગવાઈ અને સાચું આત્મસ્વરૂપ બતાવનારા સપુરુષ ફરીફરી નહિ મળે. ૬૦.
જેને ખરેખરો તાપ લાગ્યો હોય, જે સંસારથી કંટાળેલ હોય, તેની આ વાત છે. વિભાવથી કંટાળે અને સંસારનો ત્રાસ લાગે તો માર્ગ મળ્યા વિના રહે જ નહિ. કારણ આપે તો કાર્ય પ્રગટ થાય જ. જેને
Please inform us of any errors on rajesh@atmadharma.com