________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સાચી વિધિને જાણી નહિ. ર૩૪.
સ્વતઃસિદ્ધ વસ્તુનો સ્વભાવ વસ્તુથી પ્રતિકૂળ કેમ હોય? વસ્તુનો સ્વભાવ તો વસ્તુને અનુકૂળ જ હોય, પ્રતિકૂળ હોઈ શકે જ નહિ. સ્વત:સિદ્ધ વસ્તુ સ્વયં પોતાને દુ:ખરૂપ હોઈ શકે જ નહિ. ર૩૫.
મલિનતા ટકતી નથી અને મલિનતા ગમતી નથી; માટે મલિનતા વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ નહિ. ૨૩૬.
હે આત્મા! તારે જો વિભાવથી છૂટી મુક્તદશા પ્રાપ્ત કરવી હોય તો ચૈતન્યના અભેદ સ્વરૂપને ગ્રહણ કર. દ્રવ્યદૃષ્ટિ સર્વ પ્રકારની પર્યાયને દૂર રાખી એક નિરપેક્ષ સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે; દ્રવ્યદૃષ્ટિના વિષયમાં ગુણભેદ પણ હોતા નથી. આવી શુદ્ધ દષ્ટિ પ્રગટ કર.
આવી દષ્ટિ સાથે વર્તતું જ્ઞાન વસ્તુમાં રહેલા ગુણો તથા પર્યાયોને, અભેદ તેમ જ ભેદને, વિવિધ પ્રકારે જાણે છે. લક્ષણ, પ્રયોજન ઇત્યાદિ અપેક્ષાએ ગુણોમાં ભિન્નતા છે અને વસ્તુ-અપેક્ષાએ અભેદ છે
Please inform us of any errors on rajesh@atmadharma.com