Book Title: Bahenshree na Vachanamrut
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 187
________________ Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates ૧૬૮ બહેનશ્રીનાં વચનામૃત આત્મા અખંડ છે, બધા ગુણો આત્માના જ છે, તેથી એક ગુણની પર્યાય વેદાય તેની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે છે. ભલે બધા ગુણોનાં નામ ન આવડે, અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહિ, તોપણ તેમનું સંવેદન તો થાય છે જ. સ્વાનુભૂતિકાળે અનંતગુણસાગર આત્મા પોતાના આનંદાદિ ગુણોની ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. તે નિર્વિકલ્પ દશા અદ્દભુત છે, વચનાતીત છે. તે દશા પ્રગટતાં આખું જીવન પલટો ખાય છે. ૪૨૩. * પ્રશ્ન:- આત્મદ્રવ્યનો ઘણો ભાગ શુદ્ધ રહીને માત્ર થોડા ભાગમાં જ અશુદ્ધતા આવી છે ને? ઉત્તર:- નિશ્ચયથી અશુદ્ધતા દ્રવ્યના થોડા ભાગમાં પણ આવી નથી, તે તો ઉપર ઉપર જ તરે છે. ખરેખર જો દ્રવ્યના થોડા પણ ભાગમાં અશુદ્ધતા આવે અર્થાત દ્રવ્યનો થોડો પણ ભાગ અશુદ્ધ થાય, તો અશુદ્ધતા કદી નીકળે જ નહિ, સદાકાળ રહે! બદ્ધસૃષ્ટત્વ આદિ ભાવો દ્રવ્યના ઉપર તરે છે પણ તેમાં ખરેખર સ્થાન પામતા નથી. શક્તિ તો શુદ્ધ જ Please inform us of any errors on rajesh@atmadharma.com

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204