________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૪૫
સ્વરૂપની શોધમાં તન્મય થતાં, અનેક જાતની વિકલ્પજાળમાં ફરતો હતો તે આત્માની સન્મુખ થાય છે. આત્મસ્વરૂપનો અભ્યાસ કરવાથી ગુણોનો વિકાસ થાય છે. ૧૪૩.
*
સાચું સમજતાં વાર ભલે લાગે પણ ફળ આનંદ અને મુક્તિ છે. આત્મામાં એકાગ્ર થાય ત્યાં આનંદ ઝરે.
૧૪૪.
*
રાગનું જીવતર હોય તેને આત્મામાં જવાનું બને નહીં. રાગને મારી નાખ તો અંદર જવાય. ૧૪૫.
*
કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડતાં નથી. આત્મા તો ૫૨મ શુદ્ધ તત્ત્વ છે; તેમાં ક્ષાયોપમિક આદિ ભાવો નથી. તું તારા સ્વભાવને ઓળખ. અનંત ગુણરત્નોની માળા અંદર પડી છે તેને ઓળખ. આત્માનું લક્ષણત્રિકાળી સ્વરૂપ ઓળખી પ્રતીત કર. ૧૪૬.
*
આત્માના જ્ઞાનમાં બધું જ્ઞાન સમાઈ જાય છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com