Book Title: Bahenshree na Vachanamrut
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 159
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧૪૦ બહેનશ્રીનાં વચનામૃત જુદું હોય છે. બાહ્ય ક્રિયાના આધારે સાધકનું અંતર ઓળખાતું નથી. ૩૭૮. જગતમાં સર્વોત્કૃષ્ટ ચીજ તારો આત્મા જ છે. તેમાં ચૈતન્યરસ ને આનંદ ભરેલા છે. તે ગુણમણિઓનો ભંડા૨ છે. આવા દિવ્યસ્વરૂપ આત્માની દિવ્યતાને તું ઓળખતો નથી અને ૫૨વસ્તુને મૂલ્યવાન માની તેને પ્રાપ્ત કરવા મહેનત કરી રહ્યો છે! પ૨વસ્તુ ત્રણ કાળમાં કદી કોઈની થઈ નથી, તું નકામો ભ્રમણાથી તેને પોતાની કરવા મથી રહ્યો છે અને તારું બૂરું કરી રહ્યો છે! ૩૭૯. * જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી. તું તેને ઓળખી તેમાં લીન થા તો તારાં સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે. ૩૮૦. * જીવ ભલે ગમે તેટલાં શાસ્ત્રો ભણે, વાદિવવાદ કરી જાણે, પ્રમાણ-નય-નિક્ષેપાદિથી વસ્તુની તર્કણા કરે, ધારણારૂપ જ્ઞાનને વિચારોમાં વિશેષ વિશેષ ફેરવે, પણ જો જ્ઞાનસ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહિ અને Please inform us of any errors on rajesh@atmadharma.com

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204