________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૩૫
ચૈતન્યમાં સંપૂર્ણપણે જો અત્યારે જ ઠરી જવાતું હોય તો બીજાં કાંઈ જોઈતું નથી એવી સમ્યગ્દષ્ટિની ભાવના હોય છે. ૧૦૩.
હું શુદ્ધ છું” એમ સ્વીકારતાં પર્યાયની રચના શુદ્ધ જ થાય છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. ૧૦૪.
આત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેષ પરમાર્થ ધારણ કરેલો છે. જ્ઞાયક તત્ત્વને પરમાર્થે કોઈ પર્યાયવેષ નથી, કોઈ પર્યાય-અપેક્ષા નથી. આત્મા “મુનિ છે” કે “કેવળજ્ઞાની છે” કે “સિદ્ધ છે” એવી એક પણ પર્યાય-અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. ૧૦૫.
ચૈતન્યસ્વરૂપ આત્મા તારો પોતાનો છે માટે તેને પ્રાપ્ત કરવો સુગમ છે. પરપદાર્થ પરનો છે, પોતાનો થતો નથી, પોતાનો કરવામાં માત્ર આકુળતા થાય છે. ૧૦૬.
શાશ્વત શુદ્ધિધામ એવું જે બળવાન આત્મદ્રવ્ય તેની દષ્ટિ પ્રગટ થઈ તો શુદ્ધ પર્યાય પ્રગટે જ. વિકલ્પના
Please inform us of any errors on rajesh@atmadharma.com