Book Title: Bahenshree na Vachanamrut
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 185
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૬૬ બહેનશ્રીનાં વચનામૃત સુખનું ધામ છે, તેમાંથી સુખ મળશે. ૪૧૯. પ્રશ્ન – જિજ્ઞાસુને ચોવીસે કલાક આત્માના વિચાર ચાલે? ઉત્તર:- વિચારો ચોવીસે કલાક ન ચાલે. પણ આત્માની ખટક, લગની, રુચિ, ધગશ રહ્યા કરે. “મારે આત્માનું કરવું છે, મારે આત્માને ઓળખવો છે” એમ લક્ષ આત્મા તરફ વારંવાર વળ્યા કરે. ૪૨૦. પ્રશ્ન:- મુમુક્ષુએ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો કે ચિંતનમાં સમય વિશેષ ગાળવો? ઉત્તર - સામાન્ય અપેક્ષાએ તો, શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય, ચિંતન શાસ્ત્રાભ્યાસપૂર્વક હોય. વિશેષ અપેક્ષાએ, પોતાની પરિણતિ જેમાં ટકતી હોય અને પોતાને જેનાથી વિશેષ લાભ થતો જણાય તે કરવું. જે શાસ્ત્રાભ્યાસ કરતાં પોતાને નિર્ણય દઢ થતો હોય, વિશેષ લાભ થતો હોય, તો એવો પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો અને જો ચિંતનથી નિર્ણયમાં દઢતા થતી હોય, વિશેષ લાભ થતો હોય, તો એવું પ્રયોજનભૂત ચિંતન વિશેષ કરવું. પોતાની પરિણતિને Please inform us of any errors on rajesh@atmadharma.com

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204