________________
શ્રાદ્ધગુર્ણ વિવરણ. આ શબ્દાર્થ –સ્વાભાવિક છેષ કયાં નથી હોત? માટે એટલા માત્રથી પરિત્યાગ કરે ઘટતું નથી. અનુરાગવાળી સંધ્યાને પણ શું સૂર્ય પ્રકાશિત નથી કરતે પાડા
આ પ્રમાણે તર્ક વિતર્ક કરતાં સાગરદત્તના ચિત્તમાં આનંદ થયે. આ અરસામાં સાગરદત્તને શ્વસુરવર્ગ પાટલીપુત્ર નગરમાં ગયો. સાગરદત્ત પણ વહાણદ્વારા વ્યાપાર કરવા લાગે. વ્યાપાર કરતાં સાત વખત વહાણ ભાગ્યાં અને સઘળું ધન ચાલ્યું ગયું. એ વખતે કૂવામાંથી પાણુ કાઢનાર પુરૂષને સાત વખત નિષ્ફળતા મળવા છતાં આઠમી વખતે પાણી નીકળેલું જોઇ શુકનગ્રંથી બાંધી સિંહલદ્વીપ પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગમાં પ્રબલ વાયરાએ તેનું વહાણ સિંહલદ્વીપને બદલે રત્નદ્વીપમાં પ્રાપ્ત કર્યું. આ વખતે તેને સાર વિનાના કરીયાણાનો ત્યાગ કરી વહાણને રત્નોથી ભરી લીધું. અને ત્યાંથી પાછો ફર્યો, પરંતુ રસ્તામાં ખલાસીઓએ રત્નોના લોભથી તેને સમુદ્રમાં ફેંકી દીધે. પ્રથમ ભાંગેલા વહાણનું પાટીયું મળવાથી સમુદ્રને ઉતરી અનુક્રમે પાટલીપુત્રમાં પહોંચી શ્વસુરવર્ગને મળે. અને વહાણ રત્નદ્વીપમાં પ્રાપ્ત થયું ત્યાંથી માંડી સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. રાજાની આગળ પણ સાગરદત્તે આ હકીકત પ્રથમથી જ જણાવી દીધી. ભાગ્યયોગે તે ખલાસીઓ પણ પાટલીપુત્રમાં આવી પહોંચ્યા. રાજાની આગળ રત્નના ભેદ સંખ્યા અને સ્વામી વિગેરેનો પ્રશ્ન થતાં તેમનું સઘળું પિગળ ખુલ્લું થયું. રાજાએ તે રત્ન સાગરદત્તને અપાવ્યાં. પછી સાગરદત્ત કેટલાએક કાળે તામ્રલિપ્તીમાં પ્રાપ્ત થયે. ત્યાં તેણે વિચાર કર્યો કે ઉપાર્જન કરેલું દ્રવ્ય કે સારા સ્થાનમાં ન ખરચાય, તે તે કલેશ અને દુર્ગતિ વિગેરે ફળનેજ આપનાર થાય છે. તેને માટે કહ્યું છે કે –– लक्ष्मीः सर्पति नीचमर्णवपयः सङ्गादिवाम्भोजिनी ___ संसर्गादिव कण्टकाकुलपदा न क्वापि धत्ते पदम् । चैतन्यं विषसंनिधेरिव नृणामुज्जासयत्यञ्जसा
धर्मस्थाननियोजनेन गुणिभिर्याचं तदस्याः फलम् ॥९॥ શબ્દાર્થ-સમુદ્રજળના સંગથી જ જાણે લક્ષ્મીને નીચ પાસે જવાની ટેવ પડી ન હોય ? કમલિનીના સંસર્ગથી પગમાં લાગેલા કાંટાથી ઉત્પન્ન થતી વ્યથાને લઇને જ જાણે સર્વત્ર અસ્થિર ન હોય? હલાહલ વિષની પાસે રહેવાથી જ જાણે મનબેની સમજ શકિતને લક્ષ્મી નાશ પમાડતી ન હોય તેટલા માટે વિવેકી પુરૂષોએ ધર્મસ્થાનમાં ઉપયોગ કરી લક્ષ્મીને સફળ કરવી જોઈએ લા
ત્યારબાદ મોટા દાનની શરૂઆત કરી ક્યા દેવને સ્થાપન કરવા ઇત્યાદિ વિષયમાં જુદા જુદા મતવાળાઓને પુછ્યું પણ કોઈ સ્થળે એક મત થશે નહીં. તેટલામાં કઈ પ્રમાણિક માણસે જણાવ્યું કે હે ભદ્ર? દેવતાઓ ભાવથી વશ કરી