Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 279
________________ ખાસ ખરીદવા લાયક છે. જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને અપૂર્વ ગ્રંથ. “આત્મબોધ. (ભાષાંતર) આત્મજ્ઞાન એ મોક્ષને પ્રાપ્ત કરાવનાર હેવાથી સર્વનું ઉપકારક છે. જેથી આ ગ્રંથનું ઉપર મુજબનું નામ આપી અતિ શુદ્ધ આત્મજ્ઞાનને માર્ગ અભિધેય રૂપે આ ગ્રંથના કર્તા મહાન આચાર્ય શ્રીજિનલાભસૂરિએ નિરૂપણ કરેલ છે. આ ગ્રં થમાં ચાર પ્રકાશ (પ્રકરણ) આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ પ્રકાશમાં સમ્યક વનું સ્વરૂપ, તેના ભેદ વગેરેનું એટલા બધા વિસ્તારથી અને ઐતિહાસિક દષ્ટાંતોથી સ્ફટ સરળ રીતે નિરૂપણ કરવામાં આવેલ છે કે, અત્યાર સુધીમાં આ વિષયના પ્રસિદ્ધ પામેલ ગ્રંથમાં આ ગ્રંથ એક ઉચ્ચ પ્રતિષ્ઠા મેળવવા સાથે ઉત્તમ નમુના રૂપે થયેલ છે. બીજા પ્રકાશમાં દેશવિરતિનું સ્વરૂપ, ત્રીજા પ્રકાશમાં ઉત્તમ મુ. નિવ્રતનું સ્વરૂપ અને ચોથા પ્રકાશમાં પરમાત્મ ભાવનું સ્વરૂપ દર્શાવેલ છે. આ આખા ગ્રંથના દરેક વિષય માટે અનેક કથાઓ, ઉપનયે અને આગામે પ્રકરણે વિગેરેની પ્રસંગે પ્રસંગે અનેક સાદત આપી ગ્રંથકર્તાએ ભવિ જીવોના લાભાર્થે ઉત્તમ મહદ પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ અતિ ઉપગી અને દરેક મુનિ મહારાજાઓ અને જૈન બંધુઓને શ્રવણ, મનન નિદિધ્યાસન કરવા જેવું છે. આ ગ્રંથના વિશેષ વખાણ કરવા કરતાં તે ખાસ વાંચી જવા વિનંતિ કરીએ છીએ. આ ગ્રંથ ઉંચા સીતેર રતલી ડેરલીંગ ગ્લેઝ કાગળ ઉપર રોયલ આઠપેજ સુંદર જેની (શાસ્ત્રી ખાસ) ટાઈપમાં છપાવવામાં આવેલ છે. લગભગ ૬૦ ફોરમ ૫૦૦ પાનાને સુંદર બાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત રૂ.૨–૮–૦ પોસ્ટ ખર્ચ જુદો. તૈયાર છે. જલદી મંગાવે. તૈયાર છે. तपोरत्न महोदधि. (તપાવલી ભાગ ૧-૨) અનેક ગામાંથી તમામ પ્રકારના તપને કરેલે સંગ્રહ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજના અપૂર્વ પ્રયાસનું આ ફળ છે. કે જે તે બે વિભાગમાં પ્રગટ કરવામાં આવેલ છે. પ્રથમ વિભાગમાં ૮૮ પ્રકારના આચારદિનકરમાં જણાવેલા તપનું તથા બીજા વિભાગમાં ૭૩ પ્રકારના અન્ય ગ્રંથાદિમાં કહેલા તપનું વર્ણન આ ગ્રંથમાં વિધિ-વિધાન સહિત ઘણી ઉંચી અને સરળ શૈલીથી આપવામાં આવેલું છે.

Loading...

Page Navigation
1 ... 277 278 279 280