Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 416
________________ વનાર કિંપાકથી પણ તમને બચાવશે, પિશાના ઉપદ્રવથી તમને સાવચેત કરશે, તમને નિર્દોષ પાણી પુરું પાડશે. પણ તમારે ઉદ્યમપૂર્વક સાવચેતીથી રહેવું આવી રીતે મારા સાર્થમાં હું તમારું રક્ષણ કરીશ જેને આવવું હોય તે આવજે.” આ પ્રમાણે સાર્થને લઈ જનાર સાર્થવાહ' કહેવાય છે. તેમ અરિહંત મહારાજ ભવ્યજીને ધર્મોપદેશરૂપે ઉદ્દઘોષણ કરે છે કે હે ભવ્ય પ્રાણીઓ ! જે તમારે મેક્ષનગરે જવું હોય તે મારા સાર્થમાં આવશે. આ સાથે આ સંસારરૂપી અટવીમાં સર્વવિરતિ ને દેશવિરતિરૂપ સીધા ને વાંકા એ એ બંને પ્રકારના માર્ગમાં રાગદ્વેષરૂપ સિંહના પંજામાં ફસાવા નહિ દે. તમને મૂંઝવનારા મનહર સ્ત્રીરૂપી વૃક્ષની છાયાવાળા સ્થાનમાં મૂંઝાવવા નહિ દે, પણ સડેલા પડેલા અને હેરાન નહિ કરનારા સ્થાનમાં તમને વિસામે કરાવશે માર્ગમાં લૂંટનારા પાખંડીઓથી તમારું રક્ષણ કરશે. માર્ગમાં સાધુઓ તમારું સહાયીપણું કરશે. અને સંસારરૂપ જંગલમાં દાવા સરખા કષાયોથી તમારે બચાવ કરશે. કંપાકફળની જેમ તમારું નાશ કરનારા વિષયને ઉપભેગ કરશે નહિ. પરીષહરૂપી પિશાચે તમારા મગજને કાબૂ બેવડાવશે પણ તમે તમારા મગજનો કાબૂ ન ખાશે. માર્ગમાં તમે સાવચેત રહેજો ને બે પહાર સ્વાધ્યાય કરજો, હે ભવ્યપ્રાણુઓ ! હું તમને મારા સાર્થમાં ધર્મરૂપ વહાણ આપીશ અને ધર્મરૂપ ભાથું આપીશ. તેમજ ઈષ્ટ એવા મોક્ષનગરે પહોંચાડીશ' આવી ઉષણું કરી ભવ્ય પ્રાણીઓને મેક્ષનગરે પહોંચાડ્યા. આથી તેઓ મહાસાર્થવાહ કહેવાય છે. તે જણાવનાર આ દશ્ય છે. (માવ• નિ૦ ૧૦૬-૧૧૧) ઉપલે માળ મજલા ઉપર મૂળનાયક ભગવાન પ્રથમ તીર્થંકર શ્રી હષભદેવ ભગવાન તથા બીજા અરિહંત ભગવંતની મળી કુલ ૩૦ પ્રતિમાજી સ્થાપના કરવામાં આવ્યાં છે. અત્રે આદીશ્વર ભગવાન હોવાથી તેમના

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460