Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 457
________________ t૧૦. બનેલી આદ્ર આંસુથી, આનંદાશ્રુ વહાવશે; ભામિની ભારતિ રાચે, નાચે સંપદ ચંચલા. ૯ બે હજાર પરે સાત, તૃતીયા માઘ શુક્લએ; | વિજય મૂર્તિ સાધીને, સ્થાપશે ગુરુમૂર્તિને. ૧૦ મૂર્તદાતા કુલે સ્માર્ત, કેશવરામ સુનુજ; સૂરતના જ જોતિષી, સન્મુખરામ નામના. ૧૧ મૂર્ત સાધક શ્રેષ્ઠીશ્રી, સુત ઉત્તમચંદ્રના; બાલુભાઈ સુવિખ્યાત, ક્રિયા-મૂર્ત વત્તમ. ૧૨ ખુશ મંદિર કરી જ્ય, પુણે વસંત ફાલતા; પ્રસરશે દિગ્દગોમાં, તાપી-તાતની સાક્ષીયે. ૧૩ ભદ્ર ! ભવતુ કલ્યાણું! આચાર્ય તુજ આત્મને; શાસને વરના ભદ્ર ભદ્ર વીર-જિનેને. ૧૪ ભદ્ર સુરત-ભૂમિને, ભદ્ર સકલ સંધને; ભદ્ર સંતાનીયાસ્ય ! ભદ્ર જગત સર્વને ! ૧૫ ભામિની સ્ત્રીઓ, સ્વર્ગગમન વખતે આંસુથી આર્દ બનેલાં સ્ત્રીઓનાં નયને મૂર્તિ સ્થાપના નિમિતે મંગળગીત અને ગહેલીઓ પ્રસંગે હર્ષાશ્રુ વહાવશે. ભારતિ-શ્રતદેવતા સરસ્વતી, વાગ-વાણીમાં મશગૂલ રહેનાર ગુરુની મૂર્તિ સ્થાપના સમયે શ્રતદેવી પણ આનંદશે. અને ચંચળ લક્ષ્મી, શુભ કાર્યોમાં દ્રવ્ય ખર્ચાવાથી સદુપયોગ જાણી નૃત્ય કરશે, એ ભાવ ઉતર્યો છે. પુષ્પ–વસંત ઋતુના પુષ્પ જેમ ફાલતાં રહે છે તેમ મંદિરની ખુશ-કીતિ ફાલતી રહેશે એ તથા વસંતના પ્રારંભમાં મંદિર સ્થાપન થતું હોવાથી આવી યુક્તિ ઉતારી છે. તાપી-તાત-સૂર્યની સાક્ષીએ, તાપી સુર્યપુત્રી છે માટે અર્થાત જ્યાં લગી વિદ્યમાન છે ત્યાં સુધી એ આશીભાવ દર્શાવ્યા.

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460