Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 422
________________ ૭પ શ્રીઆગોદ્ધારક ગુરુમંદિર આ મંદિર આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ના સ્મરણચિહ્નરૂપે બંધાવવામાં આવ્યું છે. પરમ પૂજય આગોદ્ધારક આચાર્ય દેવેશ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૦૬ ના વૈશાખ વદ ૫ ને શનિવારના દિવસે સુરત મયે ગોપીપુરાના માળીફળિયામાં આવેલી શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાના ઉપાશ્રયમાં) નિર્વાણ પામ્યા હતા. તેમના દેહને અગ્નિસંસ્કાર શ્રીઆગોદ્ધારકસંસ્થાની માલિકીની, શહેરની વચમાં આવેલી જગ્યા ઉપર સરકારી સ્પેશિયલ (ખાસ) પરવાનગીથી કરવામાં આવ્યો હતો. તે જ આ જગ્યા ઉપર થીઆગામે દ્ધારક ગુરુમંદિર બાંધી વિ. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને શુક્રવારના દિવસે પ. પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા તેમના પટ્ટધર આચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે કરાવવામાં આવી છે. આ ગુરુમંદિર બાંધવામાં કુલ ખર્ચ લગભગ અઠ્ઠયાસી હજાર રૂપિયાને થયો છે. રંગમંડપમાં પ્રવેશદ્વારની ઉપર ધ્યાનસ્થ ગુરુદેવનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. તે ચિત્ર આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી નિર્વાણ પહેલાં પંદર દિવસ આગળથી કાઉસ્સગ્નમુદ્રાએ ધ્યાનમાં રહેલા તેનું છે. તેઓ તે દરમિયાન અઢેલતા પણ ન હતા અને સૂતા પણ ન હતા. જે સ્થિતિમાં ધ્યાનમાં રહ્યા હતા તેનું આબેહૂબ આ તૈલચિત્ર છે.

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460