Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 119
________________ નવકારવાળી ગણવાથી નથી આવતું. “સંસારમાં શો સાર છે ? ભગવાન કહે છે તે સાચું છે,' એમ એમ માત્ર બોલવા-માનવા પર નથી આવતું; પણ એની પાછળ તો હૃદયનાં વલણ અને ધોરણ ફેરવવા જોઈએ છે. જગત નિસ્સાર લાગે, જિન અને જિનવચન જ સાર, મહા સાર લાગે, હૈયું એમના પર ઓવારી જતું હોય ! આવું બધું ક્યારે બને ? સમ્યગ્દર્શનને પ્રગટાવનારી અને વધુ વધુ નિર્મળ કરનારી પ્રવૃત્તિઓને જીવનમાં ઝગમગતી રાખવામાં આવે. સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વરદેવ ઉપર હૈયામાં અથાગ પ્રીતિ ઉભરાતી કરવી પડે, ભારોભાર ભક્તિ ઉછળતી રાખવી પડે. જિનપ્રીતિનો આકાર : એમ થાય કે “અહો ! મારા પ્રાણ, મારા સ્વામી, મુજ જીવનભૂત હે જિનેશ્વરદેવ ! નાથ તારો કેવો અચિંત્ય અનંત પ્રભાવ ! તારા કેવા અનંતાનંત ગુણરત્ન ! કેવો, પ્રભુ !, તારો જગત પર અને આ રાંક મુજ સેવક પર અનંતો ઉપકાર ! કેવું લોકોત્તર વિશ્વપ્રકાશી તારું શાસન ! હે દેવોના પણ દેવ ! યોગીઓના પણ યોગીશ્વર ! શાસકોના પણ શાસક ! મનને થાય છે કે, તારા મૂલ્યાંકન રૂપે અને તુજ ઉપકારોની કૃતજ્ઞતારૂપે હું તારી શી શી સેવા કરી લઉં ? મારું શું શું તને ન સમર્પી દઉં ? હે મારા નેત્ર ! હે મુજ હૃદય ! તું તો યોગીઓને પણ અકલ, જ્ઞાનીઓને પણ અગોચર, તને હું શું કળી શકું ? શું સ્તવી શકું ? વહાલા વિભુ ! બસ, હું તો તારા ચરણે મારા આત્માને અર્પણ કરું છું, મારે તું જ શરણ છે, તારું સમસ્ત પ્રવચન જ સાંગોપાંગ શરણ...” આવા આવા અંતરમાં નાદ ગાજે. એની સાથે એ નાથ, અને એમના મુનિઓની ભાવભરી સેવા-ભક્તિ, તથા જીવદયા, તીર્થસેવા, સંઘસેવા, નમસ્કાર મંત્રની ઉપાસના, શાસ્ત્ર લખાવવા, એની વાચનાઓ કરાવવી, વ્રત-નિયમો, ત્યાગ-તપસ્યા, જ્ઞાન-ધ્યાન, વગેરે કઈ શુભ પ્રવૃત્તિઓ હોંશે હોંશે આદરવી જોઈએ. તત્ત્વપરિણતિ ન આવી હોય તો એ લાવવા માટે આની જરૂર છે, ને આવી હોય તો એ આની આની જ પ્રેરણા કરે છે. ઉપાધિ થી સમાધિ તરફ 1 1 1

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156