Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 127
________________ જીવનની આ બધી આઈટમો (items) રકમોમાં અસાર તરફનું દુર્લક્ષ રાખી સાર સાર તરફ દૃષ્ટિ રાખવાની છે, સાર સારનું ગ્રહણ કરવાનું છે. પ્ર- અસાર શું અને સાર શું ? ઉ.- પહેલું તો નજીકના સાર તરીકે એ, કે જેમાંથી દુન્યવી દષ્ટિએ પણ કાંઈ લાભ ન થવાનો હોય, અર્થ ન સરવાનો હોય, એ અસાર; અને કાંઈ લાભ થાય, કોઈ પ્રયોજન સરે એમ હોય, એ સાર. દા.ત. સ્નેહીનું મૃત્યુ થઈ ગયું યા કોઈ વસ્તુ ભાંગી ફૂટી ગઈ, એના પરનો શોક અને ઉગ તથા વિલાપ અને વિકલ્પો એ અસાર છે. શો લાભ થાય એનાથી ? એમ કરવાથી શો અર્થ સરે ? ડહાપણની વિચારણા તો છે કે “આવી ઉગભરી વિચારણા કરવાના ને બીજાની આગળ એનાં રોદણાં રોવાના અસારમાં પડી, જીવન-સમય કે જીવન-શક્તિ કાં બગાડું ? એમાંથી કાંઈ સાર નીકળવાનો નથી. હજી ય નેહીનાં મૃત્યુમાંથી સાર ગ્રહવો હોય તો એ ગ્રહું કે મારા ય” જીવનનો ભરોસો નથી કે ક્યારે પૂરું થાય, માટે અત્યારથી જ સાવધાન થઈ જાઉં, અને આત્મચિંતામાં લાગી જાઉં ! એમ, એ વિચારું કે મારા પ્રેમનું એક પાત્ર ફૂટી ગયું એ મારો સ્વાર્થ ભંગાયો એનું રુદન કરું છું, પણ મરનારનો સ્વાર્થ ભંગાયો કેમ જોતો નથી ? એ વિચારું કે જીવતો હતો ત્યાં સુધી મેં એને પરલોકનું ભાતું શું બંધાવ્યું? દાવો તો ગાઢ સ્નેહી-હિતૈષીનો રાખ્યો, પણ એ બિચારો જયારે પરલોક જાય છે, ત્યારે ત્યાં કાંઈ હું એની સાથે નથી જવાનો, તો ત્યાં એને ઓથ કોની એ ન વિચાર્યું. એના જીવતાં પરલોક-હિતકારી સુકૃતો અને સદ્ભાવનામાં એને જોડું, આવી વિચારણા મેં કાંઈ જ ન કરી; ને એ તો ઉઠીને ચાલતો થયો. તો હવે બીજા જીવંત સ્નેહીઓને તો પરલોક હિતમાં પ્રવર્તાવું, તેમજ એ ભયંકર ભૂલના પ્રાયશ્ચિત્ત રૂપે પણ આટલી આટલી તપસ્યા કરું, આટલો આટલો રસ ત્યાગ કરું, આટલું દાન, શીલ આચરું...' વગેરે વગેરે જગાવાય તો એ સાર ગ્રહણ કર્યો કહેવાય. એમ, મરનારને પીડતા દોષો-દુર્ગુણો અને ખરાબ સ્વભાવ ઉપાધિ થી સમાધિ તરફ 119

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156